સુરત ગ્રામ્યમાં શનિવાર બપોર સુધીમાં કોરોનાના 46 કેસ નોંધાયા

HM News
1 Min Read

બારડોલી : સુરત ગ્રામ્યમાં કોરોનાનો કહેર યથાવત છે.જ્યારે આજે નવા 46 કેસ પોઝિટિવ નોંધાયા છે.જેમાં ચોર્યાસી તાલુકામાં સૌથી વધુ 9 કેસ નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા માંડવીમાં ફક્ત એક કેસ નોંધાયો છે.

સુરત જિલ્લામાં આજરોજ કોરોનાના 46 કેસ નોંધાયા છે. જેમાં બારડોલીમાં 7 , ચોર્યાસીમાં 9, કામરેજમાં 8, મહુવામાં 4 , માંડવીમાં 1 , માંગરોળમાં 3 , ઓલપાડમાં 8 ,અને પલસાણામાં 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. સુરત ગ્રામ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2733 થઈ છે. જ્યારે આજસુધીનો મૃત્યુઆંક 108 થયો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *