By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત જિલ્લામાંથી મજૂરોનું પલાયન હજી પણ યથાવત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સુરત જિલ્લામાંથી મજૂરોનું પલાયન હજી પણ યથાવત
GeneralSouth Gujarat

સુરત જિલ્લામાંથી મજૂરોનું પલાયન હજી પણ યથાવત

HM News
Last updated: 29/04/2020 11:39 AM
HM News
5 years ago
Share
SHARE

– સાંસદ પ્રભુ વસાવાની જાહેરાત બાદ મોટી સંખ્યામાં બારડોલી તરફ મજુરો પગપાળા ચાલતા આવી પહોંચ્યા સંકલનના અભાવે મજૂરો સૂડી વચ્ચે સોપારી વહીવટી તંત્રે ફરી તમામને ટેમ્પોમાં ભરી કડોદરા તરફ મોકલ્યા

બારડોલી : સુરત જિલ્લામાંથી મજૂરોની પલાયન હજી પણ ચાલુ જ રહ્યું છે.બારડોલીના સાંસદ પ્રભુ વસાવા દ્વારા ફરતા કરાયેલા પત્ર બાદ લોકો મોટી સંખ્યામાં બારડોલી તરફ આવી રહ્યા છે.પરંતુ અહીંથી મજૂરોને પરત ટેમ્પોમાં બેસાડી કડોદરા તરફ મોકલી દેવામાં આવી રહ્યા છે.આથી મજૂરોમાં અસમંજસની સ્થિતિ પેદા થઈ છે.

એક તરફ નવસારીના સાંસદ સી.આર.પાટિલ મજૂરોને વતન મોકલવા માટે આયોજન પૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે બારડોલીના સાંસદ પ્રભુ વસાવા કે ભાજપના કોઈ નેતા મિલ મજૂરો કે શેરડી કાપતા મજૂરોની વ્હારે જોવા મળતા નથી.સાંસદ પ્રભુ વસાવા માત્ર માંડવી અને તાપી જિલ્લામાં સિવાયના વિસ્તારોમાં દેખા દેતાં જ ન હોય લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.પરપ્રાંતીય મજૂરો લોકડાઉન થયું ત્યારથી જ વતન જવા માટે ઉતાવળા બન્યા છે.કેટલાક મજૂરોએ તો શરૂઆતમાં પગપાળા જ વતન તરફ રવાના થઈ ગયા હતા.પરંતુ ત્યારબાદ વહીવટી તંત્રે મજૂરોના પલાયનને રોકી પરત તેમની કામની જગ્યાએ મોકલી આપ્યા હતા.હવે જ્યારે કેટલીક રાજ્ય સરકારો દ્વારા મજૂરોને પોતાના વતન આવવા માટેની પરવાનગી આપી છે.આથી હવે રાજ્યમાં નવસારીના સાંસદ સી.આર.પાટિલ દ્વારા મજૂરોને પોતાના વતન મોકલવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

કલેક્ટરની મંજૂરી બાદ તેઓને વાહન મારફતે જવાની છૂટ આપવામાં આવી છે.એવી જ રીતે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ પણ કલેક્ટરની મંજૂરી મેળવી બારડોલી આર.ટી.ઑને ઇમેલથી જાણ કરવાથી મજૂરોને વતન જવાની પરવાનગી મળી જશે એવા લખાણ સાથે સોશિયલ મીડિયા ફરતું કર્યું હતું જેને કારણે ઘણા મજૂરો બારડોલી તરફ પગપાળા આવવા લાગ્યા હતા.મજૂરોનું પલાયન વધતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને ચાલતા જતાં તમામ મજૂરોને એક વાહન મારફતે કડોદરા તરફ મોકલી આપવામાં આવ્યા હતા.બારડોલી સાંસદ દ્વારા કરવામાં આવેલ જાહેરાતથી મજૂરો પણ અસમંજશની સ્થિતિમાં મુકાયા છે.મંગળવારે મોટી સંખ્યામાં મજૂરો પગપાળા વતન તરફ જતાં જોવા મળ્યા હતા.અધિકરીઓ અને પ્રજાના પ્રતિનિધિઓમાં સંકલનના અભાવે મજૂરો સૂડી વચ્ચે સોપારી બની રહ્યા છે.ત્યારે બારડોલીના સાંસદ માંડવીથી બહાર નીકળી જિલ્લાની સાચી પરિસ્થિતીથી વાકેફ થાય તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.

વિવાદિત પુસ્તકના પ્રકાશન બાદ સલમાન કુરશીદનું દર્દ છલકાયું ,કહ્યું કે હિન્દુત્વ જોવુ હોય તો નૈનિતાલમાં મારુ સળગેલુ ઘર જોઈ લો..
દરિયામાં ક્રેશ થયુ હેલિકોપ્ટર,મંત્રીએ 12 કલાક તરીને જીવ બચાવ્યો
રૂપાણી સરકારે શરૂ કરી લોકડાઉનની તૈયારી ? ક્યા ઉચ્ચ અધિકારીઓને રાજ્ય સરકારે જિલ્લાઓમાં દોડાવ્યા….જાણો વિગતે
સ્પેસ એક્સ 30,000 સેટેલાઇટ તરતા મૂકશે તો પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા અતિ ગીચ થઇ જશે
કચ્છની ધરા વધુ એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી, સાત દિવસમાં 16 આંચકા…
Share This Article
Facebook Email Print
Previous Article ગાંધીનગર શહેરમાં રાફડાની જેમ વધી રહેલો કોરોના વાયરસ : વધુ 5 કોરોના પોઝિટિવ, કુલ આંક 35
Next Article ગુજરાતના હવામાનમાં પલટોઃ સૌરાષ્ટ્રના અમુક ભાગમાં પવન સાથે વરસાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up