સુરત જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત થઈ રહેલ વધારાને લઈ લોકો ચિંતિત

HM News
1 Min Read

બારડોલી : સુરત જિલ્લામાં કોરોનાંનો કહેર દીનપ્રતિદીન વધી રહ્યો છે આજરોજ બપોર સુધીમાં કોરોનાના નવા 71 કેસો નોંધાયા છે.જિલ્લામાં કોરોના દર્દીઓનો કુલ આંક 1411 પર પહોંચ્યો છે. આજરોજ સૌથી વધુ કેસો સરદાર નગરી બારડોલીમાં જોવા મળ્યા છે. બારડોલીમાં 22 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. જિલ્લામાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યામાં થઈ રહેલા વધારાએ લોકોની ચિંતા પણ વધારી દીધી છે.

જિલ્લામાં સતત કોરોના દર્દીઓની સંખ્યામાં થઈ રહેલ વધારાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.સરદાર નગરી બારડોલીમાં આજરોજ નવા 22 કેસ નોંધાતા જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે.જિલ્લામાં આજે નવા 71 કેસ નોંધાતા કોરોના દર્દીઓનો કુલ આંક 1411 પર પહોંચ્યો છે. મહુવામાં 12, કામરેજ 09 ,ચોર્યાશી 05 ,ઓલપાડ 05 ,પલસાણા 15 ,માંડવી 01 ,બારડોલી 22 અને માંગરોળમાં 2 કેસ સામે આવ્યા છે. વધતાં જતાં કેસોને કારણે લોકોમાં પણ હવે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *