[weather_data]
Breaking News
TRENDING NEWS

સુરત જિલ્લામાં વાવાઝોડા અને વરસાદથી ડાંગરના પાકને નુકસાન,સર્વેમાં ફક્ત ઉભા પાકને ગણતરીમાં લેવાતા ખેડૂતોમાં રોષ

[updated_date] [post_views]

Table of Content

– ગ્રામ સેવક દ્વારા થતા સર્વેને લઈને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

સુરત : વાવાઝોડના પગલે સુરતના ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને પારાવર નુકસાન થયું છે.જેને લઈને તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.ગ્રામ સેવક દ્વારા ખેતરના માલિકને સાથે રાખીને સર્વે કરવામાં આવી રહ્યો છે.ખેડૂતો માટે રાહતની વાત એ છે કે, રાજ્ય સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.પરંતુ સાથે સાથે સર્વેમાં જે પ્રમાણના નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે.તેને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી છે.સર્વે કરવા આવનાર ગ્રામસેવક ખેતરોમાં ડાંગરના જે ઊભેલો પાક હતો.તેને જે નુકસાન થયું છે તેની જ માહિતી એકત્રિત કરી રહ્યા છે.જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતની હાજરીમાં ગ્રામસેવકે જે સર્વે શરૂ કર્યા છે.તેને લઈને ખેડૂતોમાં ગણગણાટ ઉભો થયો છે.ખેડૂતોના કહેવા મુજબ માત્ર ઊભા પાકને નુકસાન થયું છે.તે ગણતરીમાં લેવાની સાથે સાથે જે પાક ડાંગર કાપીને તૈયાર કરવામાં આવ્યો હતો તે પણ ખેતરમાં ખુલ્લો જ પડ્યો હતો. તે ડાંગરને કોથળામાં ભરીને પેક કરવાનું માત્ર બાકી હતું.પરંતુ તે પણ કમોસમી વરસાદના કારણે પડી ગયું છે.તેથી તે પણ નુકસાનીમાં જ સર્વેમાં લેવું જોઈએ પરંતુ એ રીતે સર્વેમાં તેને ગણતરી સમાવવામાં આવ્યો નથી.ડાંગરનું સૌથી વધુ નુકસાન તો એ જ થયું છે કે, તૈયાર ડાંગર જે હતું તે પાણીમાં પલળી ગયું છે. ઊભો પાક તો માત્ર 10 થી 20 ટકા જેટલો જ ખેતરમાં હાલ જોવા મળશે.

સુરત ખેડૂત સમાજના માજી પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે, સર્વેની કામગીરીમાં જે પીલાણ કરેલા ડાંગર છે.તેને નોંધવામાં નથી આવી રહ્યું.જેને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.તેની સાથે સાથે સાત બારમાં એક જ ખાતું હોય તેને સરકાર તરફથી મળતી આર્થિક સહાય મળે છે.પછી તેમાં ગમે તેટલા વિઘા જમીન હોય. લેબર ખર્ચ પણ આ વખતે ખૂબ વધી ગયો છે.કોરોના સંક્રમણના કારણે લેબરો પૂરતા પ્રમાણમાં મળતાં નથી તેથી વધુ ખર્ચ કરીને પણ ડાંગરનો પાક ધિરાણ માટે લેવો પડે છે.

ઓલપાડ તાલુકાના કમરોલી ગામના ખેડૂત મહેન્દ્ર પટેલે જણાવ્યું કે, વાવાઝોડા બાદ થયેલા વરસાદને કારણે મારો ડાંગરનો તૈયાર પાક પાણીમાં પલળી ગયો છે.1 વિઘામાં 27 હજાર જેટલું નુકસાન થયું છે.મને કુલ રૂપિયા 3 લાખ કરતા વધારાનું નુકસાન થયું છે.જેની સામે સરકાર કેટલી સહાય આપશે તે એક મોટો પ્રશ્ન છે.આવી સ્થિતિને કારણે જ ખેડૂતો સતત દેવાદાર બની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles