સુરત 30 મે : પ્રવર્તમાન કોરોના સંકટ દરમિયાન કોરોના મહામારી સામે લડવા તેમજ રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે જિલ્લા પંચાયત સુરતનાં અધિકારી,કર્મચારીઓમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે જિલ્લા પંચાયત સુરત ખાતે ઉકાળા વિતરણ કરાયું હતું.અંદાજે 300 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ આર્યુવેદિક ઉકાળાનો લાભ લીધો હતો.જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીએ ઉકાળો સેવન કરી અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો.મિલન એન દસોંદીના નેતૃત્વ તળે તબીબો તથા કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવી કામગીરી સંપન્ન કરવામાં આવી હતી.