By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત ટેકસટાઇલ માર્કેટ 17 મે સુધી બંધ રાખવાનો નિર્ણય, વેપારીઓ અને કારીગરોને બેકાર થવાનો ભય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત ટેકસટાઇલ માર્કેટ 17 મે સુધી બંધ રાખવાનો નિર્ણય, વેપારીઓ અને કારીગરોને બેકાર થવાનો ભય
BusinessGeneralSurat

સુરત ટેકસટાઇલ માર્કેટ 17 મે સુધી બંધ રાખવાનો નિર્ણય, વેપારીઓ અને કારીગરોને બેકાર થવાનો ભય

HM News
Last updated: 12/05/2021 10:23 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : સુરતના ટેકસટાઇલ ઉધોગ ગુજરાતની આર્થિક કરોડરજ્જુ માનવામાં આવે છે.આ ઉધોગ લાખો લોકોને રોજગારી પુરી પાડે છે.પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના કારણે આ ઉધોગની રોનકને ગ્રહણ લાગ્યું છે.કોરોનાની પહેલી લહેરમાં દેશમાં લાગેલા સંપૂર્ણ લોકડાઉનની અસરથી હજી આ ઉધોગ બહાર આવી શક્યો નથી.ત્યારે આ સેકન્ડ વેવમાં પણ મીની લોકડાઉનના કારણે ઉધોગ પર પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.

શહેરમાં કોરોનાના કેસો વધતા ટેકસટાઇલ ઉધોગ આગામી તારીખ 17 મે સુધી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેની મોટી અસર માર્કેટના વેપાર પર જોવા મળશે તે નક્કી છે.પહેલાથી મંદીનો માર સહન કરી રહેલા વેપારીઓને આ મીની લોકડાઉન મોટી અસર કરશે.કોરોનાને કારણે લાગેલા મીની લોકડાઉનની સ્થિતિમાં 12 થી 15 હજાર કરોડના પેમેન્ટ અટવાયા છે.સુરતના ટેકસટાઇલ માર્કેટની વાર્ષિક ટર્ન ઓવર 50 હજાર કરોડથી વધુનું છે.પણ કોરોનાની અસરના કારણે તેના પર પણ મોટી અસર આવી છે.આવી પરિસ્થિતિ જો લાંબો સમય રહી તો માર્કેટના વેપારીઓ અને કારીગરોને બેકાર થઈને કાયમી ઘરે બેસવાનો વારો આવશે.

નોંધનીય છે કે, માર્ચ થી મે મહિનાની વચ્ચે આખા વર્ષનો 35 ટકા વેપાર થાય છે.પણ એપ્રિલ મહિનાથી વેપાર પર અસર પડતા નાના વેપારીઓની હાલત કફોડી બની છે.સુરતથી રાજસ્થાન,મહારાષ્ટ્ર,દિલ્હી,કર્ણાટક,આંધ્રપ્રદેશ,યુપી સહિતના રાજ્યોમાં વેપાર કરવામાં આવે છે.સુરતનો વેપાર 80 ટકા જેટલો ઘટી જતાં પેમેન્ટ અટવાયા છે. ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝના પણ 50 ટકાથી વધુના ઓર્ડર કેન્સલ થયા છે.

સુરતની ટેકસટાઇલ માર્કેટમાં 17 હજાર વેપારીઓની સાથે સાડા ત્રણ લાખ કારીગરો કામ કરે છે.લોકડાઉન અને નિયંત્રણોને કારણે કામચલાઉ રીતે તેઓ બેકાર બની જ ગયા છે અને આ સ્થિતિ જો આ જ પ્રમાણે રહી તો આગામી સમય સુરતના કાપડ ઉધોગ માટે કપરો આવશે તે નક્કી છે.

પાકિસ્તાની ક્રિકેટરે જય શ્રી રામ લખીને પોસ્ટ કર્યો વીડિયો, સાઉથ આફ્રિકાથી પણ રામ મંદિર માટે સંદેશ
દેશમાં પાછું આવશે લોકડાઉન ? મોદીએ ગૃહ મંત્રાલયને કર્યો આ આદેશ, ગાઈડલાઈનમાં પણ સુધારો થશે
દેશનાં 9 મુસ્લિમ સંગઠને ફતવો બહાર પાડ્યો ,કહ્યું- ચીનની વેક્સિનમાં પોર્ક જિલેટિનનો ઉપયોગ થયો છે, અમે એને નહિ મુકાવીએ
મા અંબાના દર્શન પાટીલને કેટલા ફળશે? શું મુખ્યમંત્રીની રેસમાં ફાઈનલ મહોર લાગી ગઈ છે?
સિવિલમાં તપાસ્યા વગર જ કાનના દુખાવાની દવા લખી આપતા દર્દી અને ડોક્ટર ઝઘડયા
Share This Article
Facebook Email Print
Previous Article CM ઉધ્ધવ ઠાકરેના પત્ની માટે આપત્તિજનક કોમેન્ટ કરનાર ભાજપ કાર્યકરની ધરપકડ
Next Article મેમાં સાતમી વાર પેટ્રોલમાં ભાવવધારોઃ રૂ.100ને પાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up