સુરત,તા.23 જુન : પંજાબ નેશનલ બેંકના લોન કૌભાંડમાં સંડોવાયેલા ફરારી આરોપી નિરવ મોદીની સુરતના એસઈઝેડ ડાયમંડ યુનિટ મે.ફાયર સ્ટાર ડાતમંડ ઈન્ટરનેશનલ,રાધેશ્વર જ્વેલરીની કંપનીમાં રહેલા 10 કરોડથી વધુ કિંમતની ડાયમંડ જ્વેલરી સહીત સાત મિલકતો જપ્ત કરવા કસ્ટમ્સ સેન્ટ્રલ એક્સરસાઇઝ વિભાગે સુરત કોર્ટમાં અરજી કરી હતી.
આજથી ત્રણેક વર્ષ પહેલા સુરત સીજીએમ કોર્ટમાં કસ્ટમ એકટના ભંગ બદલ નિરવ મોદી સહિત અન્ય ત્રણ આરોપીઓ વિરૂધ્ધ કોર્ટ ફરિયાદ નોધાઈ હતી.જેમાં આરોપી નિરવ મોદીને એકથી વધુવાર કોર્ટના સમન્સ વોરંટ છતાં હાજર થયા નહોતા.જેથી કસટમ્સ વિભાગના અધિકારીએ સરકારી વકીલ ધર્મન્દ્ર પ્રજાપતિ મારફતે સીઆરપીસી 82મુજબ નિરવ મોદીની સૂરતની સાત જેટલી સ્થાવર જંગમ મિલકતો જપ્ત કરવા માંગ કરી હતી.જે અંગે જાહેરનામું બહાર પાડવા છતાં નિરવ મોદી હાજર થયા નહોતા.જેથી આજે સુરત સીજીએમ કોર્ટના જજ અમીતકુમાર દવેએ ફરિયાદી કસ્ટમ્સ સેન્ટ્રલ એક્સાઇઝની અરજીને મંજુર કરી નિરવ મોદીની સુરતની સાત સ્થાવર જંગમ મિલકતો જપ્ત કરવા હૂકમ કર્યો છે.