– બ્રિજ નીચે 75 કલાક રંગરોગાન કરવાની કામગીરી
સુરત: આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થતાની સાથે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે સુરતના પોશ વિસ્તારમાં આવેલા બ્રિજના બ્યૂટીફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.કોર્પોરેશન દ્વારા 75 કલાકમાં બ્રિજના બ્યુટીફીકેશન માટેની કામગીરી સોંપવામાં આવી છે.
સુરત કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક થઇ ગઇ છે.ત્યાં કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો ખર્ચ કરવામાં કોઇ કસર રાખતા ન હોય તેવું લાગી રહ્યું છે.એક તરફ ચોમાસાની ધૂંઆધાર બેટિંગ ચાલુ છે ત્યારે બીજી તરફ બ્રિજને રંગરોગાન કરવાની અત્યારે કેમ જરૂરિયાત ઊભી થઈ છે,તે પણ એક મોટું આશ્ચર્ય લોકો વ્યક્ત કરી રહ્યાં છે. 75 કલાક દરમિયાન થયેલી પેન્ટીંગના રૂપિયા કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને ચૂકવવામાં આવશે.હાલ કોર્પોરેશનને બ્યુટીફીકેશન પાછળ રૂપિયા ખર્ચવાની કોઈ જ જરૂરિયાત ન હોવા છતાં પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવા માટે આ પ્રકારના પેઇન્ટિંગ કરવાનો આ યોગ્ય સમય છે કે, કેમ તે એક મોટો પ્રશ્ન છે કે, જે પેન્ટિંગ કરવા વાળા કોન્ટ્રાક્ટરો છે.તે ભારતીય જનતા પાર્ટીના કોઈ નજીકના નેતાના સંપર્ક વાળા વ્યક્તિઓ તો નથી આ પ્રકારની ચર્ચા શહેરમાં શરૂ થઇ છે.કારણ કે મહદંશે ભારતીય જનતા પાર્ટીની એવી પોલીસી રહી છે કે, પોતાના લાગતા વળગતાને વહાલા-દવલાની નીતિ અપનાવીને લાભ કરાવવામાં સૌથી આગળ હોય છે.
સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા બ્રિજના બ્યુટીફીકેશન 75 કલાકમાં કરવામાં આવનાર છે.બ્રિજની આસપાસની દીવાલો ઉપર બ્યુટીફીકેશન માટે પેઇન્ટિંગ કરવાનું શરૂ કરાયું છે.તાજેતરમાં જ પારલે પણ વિસ્તારના બ્રિજ ઉપર છત્રી ઓ લગાડીને બ્યુટીફીકેશન કરવામાં આવી હતી.પરંતુ તે છત્રીઓ પણ એ કાઢી લેવામાં આવી છે. જેને લઇને પણ આશ્ચર્ય ફેલાયું છે.