By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત પૂર્વ બેઠકમાં ૯૦ હજાર જેટલા મુસ્લિમ મતદારો ભાજપની ગણતરી ઊંધી કરશે, ભાજપે રેડ ઝોનમાં મૂકી છે આ બેઠક
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સુરત પૂર્વ બેઠકમાં ૯૦ હજાર જેટલા મુસ્લિમ મતદારો ભાજપની ગણતરી ઊંધી કરશે, ભાજપે રેડ ઝોનમાં મૂકી છે આ બેઠક
GeneralGujarat NowPolitics

સુરત પૂર્વ બેઠકમાં ૯૦ હજાર જેટલા મુસ્લિમ મતદારો ભાજપની ગણતરી ઊંધી કરશે, ભાજપે રેડ ઝોનમાં મૂકી છે આ બેઠક

HM News
Last updated: 16/11/2022 8:40 AM
HM News
3 years ago
Share
SHARE

૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ભલે ડંકાની ચોટ પર કહે છે કે સુરતની તમામ ૧૨ બેઠક પર કમળ ખીલશે પરંતુ ભાજપના નેતાઓએ જ પુર્વ વિધાનસભા બેઠકને રેડ ઝોનમાં મુકી છે.આ બેઠક પર ૯૦ હજાર જેટલા લઘુમતી મત પરિણામમાં ઉલટફેર કરી શકે છે.આ બેઠક ભાજપ માટે કટોકટીની બેઠક છે જેમાં વિજય માટે મતોનો તફાવત ઘણો જ ઓછો જોવા મળે છે.જો આ ચૂંટણીમાં લઘુમતી મતોનુ વિભાજન ન થાય તો ભાજપ માટે મોટો પડકાર બની શકે તેમ છે.સુરત પુર્વ વિધાનસભા મત વિસ્તારમાં ૨.૧૯ લાખ મતદારો છે જેમાંથી ૯૦ હજારની આસપાસ મુસ્લીમ સમાજના મતદારો છે.જ્યારે રાણા અને ખત્રી સમાજના મતદારો ૪૮ હજારની આસપાસ છે.એસ.સી. અને એસ.ટી મતદારો પંદર હજાર જ્યારે ઓબીસી મતદારો ૨૫ હજાર છે.અને અન્ય સમાજના મતદારોની સંખ્યા પણ ૨૫ હજાર છે.

મુસ્લિમ સમાજનું મતદાન મોટાભાગે કોંગ્રેસ તરફ થાય છે તેની સાથે મુળ સુરતીમાંથી પણ કેટલાક મતદારો કોંગ્રેસ તરફ ઝોક ધરાવે છે.આ બેઠક પર દર વખતે અપક્ષ ઉમેદવાર મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. ૨૦૦૭માં રણજીત ગીલીટવાલા માંડ ૧૬૦૦ મતની લીડથી જીત્યા હતા તે વખતે આર.જે.ડી.ના અબ્દુલ મલબારી અને અન્ય લઘુમતી ઉમેદવાર પાંચ હજાર જેટલા મતો લઈ ગયા હતા જેના કારણે ભાજપનો વિજય થયો હતો.આ પહેલા ૨૦૦૨માં કોંગ્રેસના મનિષ ગીલીટવાલાનો ૧૯૫૨ મતથી ભાજપના ગુલાબદાસ ખસી સામે વિજય થયો હતો.

૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપે વતર્માન ધારાસભ્ય અરવિંદ રાણાને રિપીટ

૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપે વતર્માન ધારાસભ્ય અરવિંદ રાણાને રિપીટ કર્યા છે.પણ તેમનો ભાજપના કાર્યકરોમાં જ ભારે વિરોધ છે.ઉમેદવારમાં ચૂંટણી લડવાનો ઉત્સાહ ન હોય તેવી ફરિયાદો પણ કેટલાક એકટીવ કાર્યકરો કરી રહ્યા છે.આપ તરફથી કંચન જરીવાલાને ચૂંટણી મેદાનમાં ઉતારાયા છે.જ્યારે કોંગ્રેસે એગ્રેસીવ એવા પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાને ચૂંટણીમાં જંગમાં ઉતાર્યા છે. કોંગ્રેસમાં સ્થાનિક વિસ્તારમાં જોકે, તેમનો વિરોધ થયો હતો.પણ કોર્પોરેટર તરીકેના કાર્યકાળમાં તેમણે ભાજપ સામે અનેક મોરચા માંડયા છે. ૨૦૧૭ની ચૂંટણીમાં અહી ભાજપને ૧૩,૩૪૭ મતની લીડ મળી હતી.કોંગ્રેસ લઘુમતી અપક્ષ ઉમેદવારો કે એઆઇએમએમના ઉમેદવારોને સમજાવી કે સમાધાન કરે તો ભાજપ માટે ચઢાણ કપરા બનશે એમ ખુદ ભાજપ વર્તુળોમાં જ ચર્ચા છે.પણ મુસ્લિમ મતદારોનું વિભાજન થાય તો તે ભાજપના ફાયદામાં રહેશે.

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, આગામી 48 કલાક ભારે!, છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં નોંધપાત્ર વરસાદ
લોકડાઉનન દરમ્યાન અમદાવાદમાં માથાકૂટઃ સરસપુરમાં અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો
મૃતદેહોના અંતિમ સંસ્કાર કરીને સ્મશાન ગૃહની ભઠ્ઠીઓ પણ થાકી ગઈ, સુરત-મોરબીમાં ભઠ્ઠી પીઘળવા લાગી
એક તીરથી ત્રણ શિકાર : ભારતની તરફેણ, રશિયા ખુશ, ચીનને ફટકો
ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહુ વિરૂધ્ધ જબ્બર વિરોધ પ્રદર્શન સાથે રાજીનામાની માંગ
Share This Article
Facebook Email Print
Previous Article કેજરીવાલની પોલ ખુલી ગઈ : ભાજપને ફાયદો કરાવવા કંઇ પણ કરશે, આપ કરતાં ઉમેદવાર શાણા નીકળ્યા
Next Article મહેસાણા એટલે રાજકીય લેબોરેટરી જાણો આ વખતે કેવો છે “જનાદેશ”
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up