ગુજરાત રાજ્યના આ શહેરમાંથી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે ખીચડી અને કુતરાની રસી બાદ હવે સુરત મનપાનું વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે.કોરોના કાળ દરમ્યાન સુરત મનપાએ 25 લાખના પતરા અને મંડપ પાછળ ખર્ચ કર્યો હોવાનો ખુલાસો આરટીઆઈમાં થયો છે.
મનપાએ 25 લાખના પતરા અને મંડપ પાછળ ખર્ચ કર્યો હોવાનો ખુલાસો
આરટીઆઈમાં માત્ર શહેરના સેન્ટ્રલ ઝોનની વિગતો સામે આવી છે.આરટીઆઈમાં 26 જૂનથી 31 જુલાઈ સુધીની માહિતી માગવામાં આવી.જેમા સામે આવ્યુ કેસ પતરા માટે રનિંગ ફુટે 9થી 15 રૂપિયા ચૂકવ્યા હતા.જોકે, 4 ફૂટથી ઊંચા પતરા લગાવવાનો ભાવ સ્કેવર ફુટ પ્રમાણે ગણવામાં આવે છે.તેના માટે મનપા દ્વારા 10 રૂપિયા સ્કેવર ફૂટ ચૂકવાયા.તો એ.એમ. ટપાલી મંડપ કોન્ટ્રાક્ટરને મનપાએ 9 એપ્રિલથી 10 જૂન સુધી 6 લાખ 92 હજાર 292 ચૂકવાયા.. આ ઉપરાંત સુવિધા કેટરર્સને અલગ-અલગ બીલથી નાણા ચૂકવાયા હોવાનો ખુલાસો થયો છે.
આ અગાઉ રખડતા શ્વાનના રસીકરણ પાછળ થયેલા ખર્ચને લઇને પણ વિવાદ સર્જાયો હતો.સુરતમાં રખડતા શ્વાન માટે કરવામાં આવતી રસીકરણ અને ખસીકરણની કામગીરીનો છેલ્લા 5 વર્ષનો કુલ ખર્ચ 3.75 કરોડ બતાવવામાં આવ્યો છે.સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા આરટીઆઇ એક્ટિવિસ્ટ તુષાર મેપાણી દ્વારા કરાયેલી આરટીઆઇમાં આ બાબત સામે આવી છે.જેમાં 1.65 લાખનો ખર્ચ અલગથી શ્વાનને પૂરવામાં આવતા પાંજરા પાછળ બતાવવામાં આવ્યો છે.
સુરત મનપાએ 25 લાખના પતરા અને મંડપ પાછળ ખર્ચ કર્યો હોવાનો ખુલાસો
આરટીઆઈમાં માત્ર શહેરના સેન્ટ્રલ ઝોનની વિગતો સામે આવી છે.આરટીઆઈમાં 26 જૂનથી 31 જુલાઈ સુધીની માહિતી માગવામાં આવી.જેમા સામે આવ્યુ કેસ પતરા માટે રનિંગ ફુટે 9થી 15 રૂપિયા ચૂકવ્યા હતા.જોકે, 4 ફૂટથી ઊંચા પતરા લગાવવાનો ભાવ સ્કેવર ફુટ પ્રમાણે ગણવામાં આવે છે.તેના માટે મનપા દ્વારા 10 રૂપિયા સ્કેવર ફૂટ ચૂકવાયા.તો એ.એમ. ટપાલી મંડપ કોન્ટ્રાક્ટરને મનપાએ 9 એપ્રિલથી 10 જૂન સુધી 6 લાખ 92 હજાર 292 ચૂકવાયા..આ ઉપરાંત સુવિધા કેટરર્સને અલગ-અલગ બીલથી નાણા ચૂકવાયા હોવાનો ખુલાસો થયો છે.


