સુરત, તા. 16 એપ્રિલ : સુરતમાં કોરોના સંક્રમણની કામગીરી કરી રહેલા સુરત મહાનગરપાલિકાના વધુ એક અધિકારી આજે કોરોના પોઝિટિવ જાહેર થયા છે.પાલિકાના એડી. સિટી એન્જિનિયર પોઝિટિવ જાહેર થતાં તેઓ હોમ આઇશોલેશન થયા છે.સુરતમાં દિવસે ને દિવસે કોરોના નું પ્રમાણ વધી રહ્યું છે.શહેરમાં રોજ ૧૫૦૦થી વધુ પોઝિટિવ કેસ જાહેર થઈ રહ્યા છે.કોરોના સંક્રમણ સાથે મહાનગરપાલિકાએ કામગીરી પણ સઘન બનાવી દીધી છે.આ કામગીરી દરમિયાન મહાનગરપાલિકાના 1500થી વધારે કર્મચારીઓ કોરોના સંક્રમણનો શિકાર બની ચૂક્યા છે જેમાંથી ૨૫થી વધુ કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે.સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર જતીન દેસાઈનો આજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેવો હોમઆઇશોલેશન થયા છે.