By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત : મોદી કેક બનાવનાર અતુલ બેકરીના માલિકે કાર અડફેટે 3 મોપેડ કચડ્યા : એકનું મોત, વેકરિયાના ભાજપના નેતાઓ સાથેના સંબંધથી કેસ ઢીલો કરાઈ એવી ચર્ચા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત : મોદી કેક બનાવનાર અતુલ બેકરીના માલિકે કાર અડફેટે 3 મોપેડ કચડ્યા : એકનું મોત, વેકરિયાના ભાજપના નેતાઓ સાથેના સંબંધથી કેસ ઢીલો કરાઈ એવી ચર્ચા
GeneralSurat

સુરત : મોદી કેક બનાવનાર અતુલ બેકરીના માલિકે કાર અડફેટે 3 મોપેડ કચડ્યા : એકનું મોત, વેકરિયાના ભાજપના નેતાઓ સાથેના સંબંધથી કેસ ઢીલો કરાઈ એવી ચર્ચા

HM News
Last updated: 27/03/2021 10:25 AM
HM News
4 years ago
Share
SHARE

– અતુલ વેકરીયા નશાની હાલતમાં હતા કે કેમ તે જાણવા સિવિલમાં તપાસ કરાઈ

સુરત : સુરત વેસુ વિસ્તારમાં બેફામ રીતે ગાડી હંકારતા અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ બે થી ત્રણ મોપેડને અડફેટમાં લેતા એક મહિલાનું મોત નિપજયું હતું.તેમજ અન્ય ઘાયલ થયા હતાં.અક્સમાત બાદ અતુલ વેકરીયાએ પોતે ગાડી ન ચલાવતો હોવાની વાતો વહેતી કરી હતી.જો કે આજે તે નશાની હાલતમાં હતો કે કેમ તે અંગેની તપાસ પણ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે.જો કે,અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ખૂબ જ ગાઢ સંબંધો છે.ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે નજીકના સંબંધ હોવાથી સમગ્ર કેસમાં ભીનું સંકેલાઇ જાય તેવી ચર્ચા શરૂ થઈ છે.

અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ શુક્રવારે રાત્રે વેસુ વિસ્તાર જે .એચ. અંબાણી હાઇસ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતાં,તે દરમિયાન એકાએક સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવ્યો હોય તેમ ત્રણથી ચાર મોપેડને અડફેટમાં લીધી હતી.ઘટનામાં ઉર્વશી ચૌધરી નામની યુવતીનું મોત નીપજયું હતું.અતુલ વેકરીયાની ઉમરા પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં લઈ જઈને મેડીકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.ઘટના સમયે અતુલ વેકરીયા નશાની હાલતમાં હતા કે, કેમ તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. રિપોર્ટમાં અતુલ વેકરીયા કેફી દ્રવ્ય પીધા હોવાનું આવે છે કે,કેમ તેની પોલીસ તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે.અતુલ વેકરીયા જણાવ્યું હતું કે, ગાડી હું નહીં પરંતુ ડ્રાઇવર ચલાવતો હતો અને તેના દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે.

ભાજપ નેતાઓ સાથે ગાઢ સંબંધો

અતુલ વેકરીયાના ભાજપના નેતાઓ સાથેના સંબંધોને કારણે ઉમરા પોલીસ દ્વારા તપાસમાં તટસ્થતા રાખવામાં આવશે કે કેમ,તે એક મોટો પ્રશ્ન છે.ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તેમજ સ્થાનિક ધારાસભ્ય સાથે તેમના સંબંધોને કારણે શહેરભરમાં ચર્ચા છે કે,સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવીને કેસની તપાસ પૂરી કરી દેવામાં આવશે.કદાવર નેતાઓના દબાણમાં મૃતક યુવતીના પરિવારને ન્યાય મળશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.

સુપ્રિમ કોર્ટ દ્વારા રાહત ન મળતા વોડાફોન-આઇડીયા ગમે ત્‍યારે વેપાર-ધંધા બંધ કરી શકે છેઃ 53,000 કરોડ ચુકવવામાં અસમર્થતા
ફરીથી મુકેશ અંબાણી નાનાભાઇ અનિલની મદદમાં આવ્યા?
સુરત T.M PATEL સ્કૂલ વિરુદ્ધ રોષે ભરાયેલા વાલીઓ DEO કચેરી પહોંચ્યાં
કોરોનાને કારણે ગુજરાતમાં પહેલું મોત, સુરતમાં એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ
સુરતમાં 61 લાખની નકલી વોચ કેસમાં પોલીસે 8.50 લાખનો તોડ કર્યો હોવાનો આક્ષેપ, જોઇન્ટ પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા
Share This Article
Facebook Email Print
Previous Article એન્ટિલિયા કેસમાં ષડ્યંત્રમાં સામેલ સચિન વઝેને મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં મળવા ગયેલી મિસ્ટ્રી WOMAN ગુજરાતી હતી, સાથે હતું નોટો ગણવાનું મશીન
Next Article બંગાળ ચૂંટણી : ‘બાહરી’ના ટોણા પર અમિતભાઈ શાહએ કહ્યું અમારી પાર્ટી અખિલ ભારતીય પાર્ટી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up