By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત સચિન GIDCમાં દીવાલ પડતા મજૂરનું મોત,ત્રણને ઉગારી લેવાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત સચિન GIDCમાં દીવાલ પડતા મજૂરનું મોત,ત્રણને ઉગારી લેવાયા
GeneralSurat

સુરત સચિન GIDCમાં દીવાલ પડતા મજૂરનું મોત,ત્રણને ઉગારી લેવાયા

HM News
Last updated: 11/07/2023 7:31 AM
HM News
2 years ago
Share
SHARE

સુરત : સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં દીવાલ ધરાશાય થતા 4 લોકો દબાય જતા ભાગદોડ મચી ગઇ હતી.ઘટનાની જાણ બાદ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.ફાયરના જવાનોએ દીવાલ નીચે દબાયેલા 3ને હેમખેમ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.જ્યારે એકનું મોત નીપજ્યું હતું.

સચિન જીઆઇડીસીમા આવેલા રોડ નંબર 2નાં પ્લોટ નં 269માં આ ઘટના બની હતી.અચાનક કામ કરતા મજૂરો પર દીવાલ ઘસી પડતા 1નું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.જ્યારે 3ને રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા.ઇજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર માટે સિવિલ લવાયા હતા.ફાયર વિભાગે જણાવ્યું હતું કે સુરતના સચિન જીઆઈડીસી રોડ નબર 2 પાસે દીવાલ ધરાશાહી થવાની ઘટનાનો કોલ મળતા ફાયરના જવાનો દોડી ગયા હતા.દીવાલ ધરાશાહી થતા 4 લોકો દબાયા હોવાની માહિતી મળી હતી. ભેસ્તાન અને ડીંડોલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.ફાયરના જવાનોએ દિવાલના કાટમાળ નીચે દબાયેલા 3ને ગણતરીની મિનિટોમાં બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. જ્યારે એકનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાને લઈને અફરા-તફરી મચી જવા પામી હતી.મૃતકનું નામ ભરત વેલજીભાઈ બારીયા ઉ.વ. 40 હોવાનું જાણવા મળ્યું હતું.ભરત સેલ્ટિંગ કરતો હતો.ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે બેઝમેન્ટનું કામ કરતા બાજુની દીવાલ પડી હતી.ઘટનાથી ડરી ગયેલો મજૂર ભાગવા જતા પડી ગયો હતો.જેના માથે દીવાલ પડતા ગંભીર ઇજાને લઈ મોતને તે ભેટ્યો હતો.જ્યારે બીજા મજૂરોને રેસ્ક્યુ કરી કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા.

‘પઠાન’માં દીપિકાની બિકિની પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ભડક્યા, કહ્યું- ‘ભગવાનું અપમાન કરનારાનું મોંઢુ તોડી નાંખીશું’
હિન્દુઓનું નવુ વર્ષ વિક્રમ સંવત તરીકે કેમ ઓળખાય છે, કયા શાસકના શાસનમાં કરાઈ શરુઆત
PM મોદી વિશે પાકિસ્તાન મંત્રીની અભદ્ર ટિપ્પણીથી પાટીલ બગડ્યા, જુઓ શું આપ્યો વળતો જવાબ
ઊર્જા પ્રધાન કનુ દેસાઈની મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 6 કલાકથી વધુ વીજળી
BIG NEWS : મહારાષ્ટ્રના ગૃહ મંત્રી પદ પરથી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપના રાજ્યસભાના ઉમેદવાર તરીકે વિદેશ મંત્રી એસ.જય શંકરે ફોર્મ ભર્યું, બે નામ અંગે હજી સસ્પેન્સ : ભાવનગરના રઘુ ઉમ્બલ મોખરે
Next Article MLA GUJARAT લખેલી કાર એસટી બસ સાથે ધડાકાભેર ટકરાઈ : બે જણાના ઘટનાસ્થળે મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up