સુરતથી ખેડૂત આંદોલન મુદ્દે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. નવા કૃષિ કાયદાના વિરોધમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો આકરા પાણીએ છે.ખેડૂત સમાજ દ્વારા આઠમીના બંધને સમર્થન આપવામાં આવ્યું છે અને સાથોસાથ ખેડૂત સંઘ દ્વારા ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી છે.23 જેટલી સંસ્થાઓ દ્વારા ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને ટેકો જાહેર કરાયો છે.
ખેડૂત સંઘ દ્વારા ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી
સમિતિ દ્વારા ચાર કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે.જેમાં આઠ તારીખે બંધ પાળવામાં આવશે.દસ ડિસેમ્બરે તમામ મથકે રાજ્ય વ્યાપી ધરણા કરવામાં આવશે. 11 તારીખે ખેડૂત સંસદનું આયોજન કરવામાં આવશે અને 12 તારીખે રાજ્યના ખેડૂતો દિલ્હી તરફ પ્રયાણ કરશે.આજે ત્રણ વાગ્યાની બેઠકમાં આ રણનીતિને આખરી ઓપ આપવામાં આવશે.