સેન્સેક્સમાં ગાબડું : રોકાણકારોની સંપત્તિ રૂા. 2.89 લાખ કરોડ ઘટી

HM News
1 Min Read

વિદેશી રોકાણકારોની રૂા.1157 કરોડની વેચવાલી : સેન્સેક્સ 1024,નિફ્ટી 303 તૂટયા

અમદાવાદ : સતત વધતા ફુગાવા- મોંઘવારીને અંકુશમાં લેવા રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કરાય તેવી શક્યતા,ક્રૂડની તેજી સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારોની રાહબરી હેઠળ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે શેરબજારમાં કડાકો બોલી જતાં રોકાણકારોની સંપત્તિમાં મોટાપાયે ધોવાણ થયું હતું.

ઉપરોક્ત અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારો,ફંડો,ઓપરેટરો તેમજ રોકાણકારો દ્વારા હાથ ધરાયેલી વેચવાલી પાછળ બીએસઇ સેન્સેક્સ ૧૦૨૪ પોઇન્ટ તૂટીને ૫૭૬૨૧ ઉતરી આવ્યો હતો.જ્યારે નિફ્ટી ૩૦૩ પોઇન્ટ તૂટીને ૧૭૨૧૪ ઉતરી આવ્યો હતો.

સેન્સેક્સમાં નોધાયેલ ગાબડાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂા.૨.૮૯ લાખ કરોડનું ધોવાણ થતાં અંતે રૂા.૨૬૪.૮૨ લાખ કરોડ રહ્યું હતું.વિદેશી રોકાણકારોએ આજે રૂા.૧૧૫૭ કરોડની અને સ્થાનિક સંસ્થાઓએ રૂા.૧૩૭૬ કરોડની વેચવાલી હાથ ધરી હતી.વેચવાલીના દબાણે આજે સ્મોલ- મિડકેપ શેરોમાં ગાબડા નોંધાયા હતા.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *