– પુતળા દહન કરવાના પ્રયાસમાં કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
– સમર્થકોએ એકત્રિત થઇ કેન્ડલ રેલી કાઢી મીણબત્તી સળગાવી
દાદરા નગર : દાદરા નગર હવેલીના સાંસદ સ્વ.મોહનભાઇ ડેલકરને સર્વ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે ભસતા ફળિયા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા સેલવાસના દરેક સમાજના અને ડેલકર સમર્થક લોકો એકત્રિત કેન્ડલ રેલી કાઢી મીણબત્તી સળગાવી પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામા આવી હતી.પોલીસે એક પુતળુ છીનવી લીધુ તો કાર્યકર્તાઓ દ્વારા બીજુ પુતળુ લાવી પૂતળાદહન કરવામાં આવ્યુ.
તેમજ પ્રસાશનના વિરોધમાં ઇન્કલાબ જિન્દાબાદના સૂત્રોચ્ચાર કરવામા આવ્યા હતા.બાદમા જે લોકોના નામો સુસાઇડ નોટમા છે.તેઓનું પુતળુ બનાવી પુતળાદહન રવાના પ્રયાસમાં પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયુ હતુ.જેમાં પોલીસે એક પુતળુ તો છીનવી લીધુ હતુ.પરંતુ કાર્યકર્તાઓ દ્વારા બીજુ પુતળુ લાવી પૂતળાદહન કરવામાં આવ્યુ હતુ.