By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સેલવાસમાં ગુજરાતના લવાછા ગામના લોકો મેળવી શકશે પ્રવેશ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સેલવાસમાં ગુજરાતના લવાછા ગામના લોકો મેળવી શકશે પ્રવેશ
GeneralSouth Gujarat

સેલવાસમાં ગુજરાતના લવાછા ગામના લોકો મેળવી શકશે પ્રવેશ

HM News
Last updated: 29/05/2020 8:00 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ, 29 મે : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા લોકડાઉનમાં ફસાયેલા લોકોને વતન મોકલવામાં આવ્યા હતા.બાદ હવે સંઘપ્રદેશની બોર્ડરથી ઘેરાયેલા ગુજરાતના લવાછા ગામના લોકો પ્રદેશમાં આવાગમન કરી શકશે તેવી વિગતો સેલવાસ કલેક્ટર સંદીપકુમાર સિંઘે આપી હતી.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા લોકડાઉનમાં ઉદ્યોગમાં કામ કરતા 25000 પ્રવાસી કામદારો માટે 15 ટ્રેન, 4000 હજાર પ્રવાસીઓ માટે બસની વ્યવસ્થા પુરી પાડી વતન મોકલાવ્યા બાદ હવે સંઘપ્રદેશની બોર્ડરથી ઘેરાયેલા ગુજરાતના લવાછા ગામના લોકો પ્રદેશમાં આવાગમન કરી શકશે તેવી વિગતો સેલવાસ કલેક્ટર સંદીપકુમાર સિંઘે આપી હતી.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના કલેક્ટર સંદીપકુમાર સિંઘે આ અંગે જણાવ્યું હતું કે,દેશભરમાં કોરોના વાઇરસને કારણે લાગેલા લોકડાઉન બાદ પ્રવાસી કામદારોમાં વતન વાપસીની સમસ્યા ઉભી થઇ હતી.જે દરમિયાન પ્રશાસન દ્વારા કામદારોને ખાવા-પીવાની અને રહેવાની તમામ સગવડ પૂરી પાડવામાં આવી હતી.લોકડાઉન દરમિયાન કામદારો વતન જઈ શકે તેઓ નિર્ણય સરકારે લીધો હતો અને તે માટે શ્રમિક ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી.જે અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા પ્રદેશમાં ફસાયેલા અને વતન જવા માગતા 25,000 જેટલા કામદારોને 15 ટ્રેન મારફતે તેમના વતન મોકલ્યા છે.સંઘપ્રદેશમાં મધ્યપ્રદેશ,બિહાર,ઓરિસ્સા,ઝારખંડ સહિતના રાજ્યના કામદારો કામ કરતા હતા.જેઓને ટ્રેન મારફતે અને અન્ય રાજ્યના 4000 જેટલા લોકોને બસ મારફતે વતન મોકલ્યા છે.વતન વાપસી વખતે તમામ કામદારોને ખાવા-પીવાની ચીજવસ્તુઓ, માસ્ક અને સેનેટાઈઝર આપવામાં આવ્યા હતા.આ કર્મભૂમિમાં કામદારો પરત આવે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.તો આ સાથે જ દમણના જેટલા પણ ઉદ્યોગો છે.તે ઉદ્યોગોમાં અન્ય કામદારોને રોજગારી આપવામાં આવે તે માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે.કલેકટર સંદીપ કુમારે વધુમાં જણાવ્યું હતું કે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં જ આવેલા ગુજરાતના લવાછા ગામના લોકોને લોકડાઉનમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.લવાછા ગામના મોટાભાગના લોકો દાદરા નગર હવેલીમાં જ રોજગારી મેળવવા આવતા હોતા, બોર્ડર સીલ કર્યા બાદ તે લોકોની હાલત કફોડી થઈ હતી.જેને પ્રશાસનને ધ્યાનમાં લઇ બુધવારથી બોર્ડર ખોલી નાખી છે.લવાછા ગામના દરેક નાગરિકો અને કામદારો રાબેતા મુજબ પાસ મેળવી સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પ્રવેશ મેળવી શકશે.

સંદીપકુમારે જણાવ્યું હતું કે,દાદરા નગર હવેલીમાં હાલ માત્ર એક જ કોરોના પોઝિટિવ કેસ એક્ટિવ છે.જે કેસ એક નાની બાળકીનો છે ત્યારે, આવનારા દિવસોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે કોરોના મહામારી સામે સાવધાની રાખે અને પ્રદેશને સલામત રાખેએ ખૂબ જ જરૂરી છે.

પોલીસની ગુંડાગીરી:સંતરામપુરમાં પોલીસ દ્વારા ડોક્ટરને માર મારતો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
પેન્ડોરા પેપર્સમાં ઈન્કમટેકસના પૂર્વ ચીફ કમિશ્નર સહીત બે અધિકારીઓના પણ નામ
ઇમરાને સરકારી ખજાનામાંથી રૂ 14 કરોડની ભેટો દુબઇમાં વેચી: શેહબાઝ
ચીનની નાપાક હરકત : અરૂણાચલ સરહદેથી 17 વર્ષીય છોકરાનું અપહરણ, કેન્દ્રએ PLAને પાછો સોંપવા કહ્યું
અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથીદાર ગેંગસ્ટર ફહીમ મચમચનું મોત
Share This Article
Facebook Email Print
Previous Article દમણ પ્રશાસને ગુજરાતના કુંતા ગામે બોર્ડર ખુલી કરી ગામલોકોને દમણમાં પ્રવેશ આપ્યો
Next Article ઓમાનથી આવવા ઉમરગામના માછીમારોએ તંત્રની મદદ માગી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up