તાપી : તાપી જિલ્લાના સોનગઢ ખાતે બાપા સીતારામ નગર ખાતે આવેલ મદ્રેસામાં રાત્રિ દરમ્યાન કોઈ શખ્સે તાળું તોડી લઘુમતી સમાજના ધાર્મિક ગ્રંથ સળગાવી દેતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું.મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો એકત્રિત થતાં પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ બાપા સીતારામ નગરખાતે આવેલ મદ્રેસાના ઈબાદત ખાનામાં ગતરાત્રિ દરમ્યાન અજાણ્યા શખ્સોએ તાળું તોડી ધાર્મિક ગ્રંથો સળગાવી દીધા હતા.ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સોનગઢ પોલીસ મથક ખાતે એકત્રિત થયા હતા.ઘટનાની જાણ થતાં પરિસ્થિતીને ધ્યાનમાં લઈ પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી આ અંગે તપસ હાથ ધરી છે.બીજી તરફ સોનગઢ પોલીસ મથકે તેમજ સોનગઢ વિસ્તારમાં કઈ અજુગતું નહીં બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
Post Views: 11