કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના આગ્રહનો સ્વીકાર કરતા ઇડીએ કહ્યું હતું કે તે`નેશનલ હેરાલ્ડ` સમાચાર પત્ર સાથે જોડાયેલા કહેવાતા ધનશોધન મામલે જુલાઈ મહિનાના અંતે કોઈક સમયે તપાસ એજન્સી સામે રજૂ થઈ પોતાનું નિવેદન નોંધાવે.
કૉંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi)ને પ્રવર્તન નિદેશાલયે(ED)એ નેશનલ હેરાલ્ડ મામલે(National Herald case)ની તપાસમાં સામેલ થવા માટે 21 જુલાઈના બોલાવ્યા છે.જણાવવાનું કે આ પહેલા સોનિયા ગાંધીએ ઇડી સામે રજૂ થવાની તારીખ લંબાવી હતી.કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના આગ્રહનો સ્વીકાર કરતા ઇડીએ કહ્યું હતું કે તે`નેશનલ હેરાલ્ડ`સમાચાર પત્ર સાથે જોડાયેલા કહેવાતા ધનશોધન મામલે જુલાઈ મહિનાના અંતે કોઈક સમયે તપાસ એજન્સી સામે રજૂ થઈ પોતાનું નિવેદન નોંધાવે.
જણાવવાનું કે આ મામલે ઇડીએ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ પાંચ દિવસમાં 50 કલાકથી વધારે સમય સુધી પૂછપરછ કરી હતી.આ દરમિયાન પીએમએલએ હેઠળ તેમમા નિવેદન નોંધવામાં આવ્યા.કૉંગ્રેસનું કહેવું છે કે તેના શીર્ષ નેતાઓ વિરુદ્ધ મૂકવામાં આવેલા આરોપ નિરાધાર છે અને ઇડીની કાર્યવાહી બદલાના રાજકારણ હેઠળ કરવામાં આવી રહી છે.તેમણે એ પણ કહ્યું કે પાર્ટી અને તેમનું નેતૃત્વ નમશે નહીં.