ન્યુ દિલ્હી,તા.૨૪
જો તમે સોનામાં રોકાણ કર્યું છે તો તમારા માટે એક ખુશખબર છે. ત્યારે બીજી તરફ જે લોકો સોનાની જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છે તો તેમના માટે માઠા સમાચાર છે. છેલ્લા બે મહિના દરમિયાન સોનાની કિંમતોમાં ભારે વધઘટ જોવા મળી છે. પહેલા અમેરિકા-ઇરાન અને પછી અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરના કારણે કિંમતી ધાતુના ભાવમાં તેજી જોવા મળી.
મીડિયા રિપોર્ટ મુજબ ૧૦ ગ્રામના ભાવ ૪૩ હજારને પાર પહોંચ્યા છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે વૈશ્વિક સ્તરે તણાવ ઓછું થતા સોનાના ભાવ ફરી ઘટીને ૩૯,૦૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે. ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસે આખી દુનિયાને હચમચાવી દીધી છે. વૈશ્વિક બજારોમાં તેની સીધે અસર જોવા મળી રહી છે. કેટલાક દેશોમાં વાયરસને લઈ એલર્ટ પર જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિઓમાં રોકાણકારો સોનામાં રોકાણ કરવાનું વધુ સુરક્ષિત સમજી રહ્યા છે. ભારતમાં સોનાના ભાવ ૪૩,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ સુધી બોલાઈ રહ્યા છે.
સાથે એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે જલ્દી સોનાના ભાવ ૪૫,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ સકારાત્મક વૈશ્વિક વલણ વચ્ચે સોમવારે સોના વાયદા ભાવ ૪૦૬ રૂપિયા વધીને ૪૩,૨૬૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ નજીક પહોંચ્યા. જ્યારે વૈશ્વિક સ્તરે સોનું ૦.૯૩ ટકા વધીને ૧,૬૬૪.૨૦ ડોલર પ્રતિ ઔંસ બોલાઈ રહ્યું છે.
સોનું ૪૩ હજારને પાર, ભાવ ૪૫૦૦૦ને આંબે તેવી શક્યતા
Leave a Comment