- અતિથિગૃહનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું
સોમનાથ : સોમનાથમાં 30 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું હતું કે, ભગવાન સોમનાથની આરાધાનામાં આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે,ભક્તિ પ્રદાનાય કૃપા અવતિરણમ કમ સોમનાથમ પ્રપ્ધ્યેય એટલે ભગવાના સોમનાથની કૃપા અવતિરણ હોય છે.હું આ વિકાસ કાર્યને દાદાની કૃપા માનું છું.થોડા સમય પહેલા અહીં અનેક વિવિધ વિકાસ કામના લોકાર્પણ થયા હતા.મંદિરની નજીક સર્કિટ હાઉસ બનતા અનેક લોકોને લાભ મળશે.
પીએમ મોદીએ કહ્યું કે,આ મહત્વપૂર્ણ અવસર પર હું ગુજરાત સરકાર,સોમનાથ મંદિર ટ્રસ્ટ અને આપ સૌને હાર્દિક અભિનંદન પાઠવું છું.મને કહેવામાં આવ્યું છે કે આ બિલ્ડિંગને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે અહીં રોકાવનારા લોકોને’સી વ્યૂ’પણ મળશે એટલે કે જ્યારે લોકો અહીં શાંતિથી પોતાના રૂમમાં બેસશે તો ત્યારે તેઓ દરિયાના મોજા અને સોમનાથનું શિખર પણ જોશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે,જે સંજોગોમાં સોમનાથ મંદિરનો નાશ થયો હતો અને જે સંજોગોમાં સરદાર પટેલના પ્રયાસોથી મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો તે બંને આપણા માટે મોટો સંદેશ છે.આપણે વિશ્વના ઘણા દેશો વિશે સાંભળીએ છીએ કે તેમની અર્થવ્યવસ્થામાં પર્યટનનું યોગદાન કેટલું મોટું છે.આપણી પાસે દરેક રાજ્યમાં,દરેક પ્રદેશમાં આવી અનંત શક્યતાઓ છે.છેલ્લા 7 વર્ષોમાં દેશે પર્યટનની સંભાવનાને સાકાર કરવા માટે અવિરતપણે કામ કર્યું છે.આજે પ્રવાસન કેન્દ્રોનો આ વિકાસ માત્ર સરકારી યોજનાનો ભાગ નથી,પરંતુ જનભાગીદારીનું અભિયાન છે.
પીએમ મોદીએ મહત્વના ચાર પાસાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે,આજના સમયમાં પ્રવાસન વધારવા માટે ચાર બાબતો જરૂરી છે.પ્રથમ સ્વચ્છતા- પહેલા આપણા પ્રવાસન સ્થળો,પવિત્ર યાત્રાધામો પણ અસ્વચ્છ હતા.આજે સ્વચ્છ ભારત અભિયાને આ ચિત્ર બદલ્યું છે.પ્રવાસન વધારવા માટે સમય એ ત્રીજું મહત્વનું પાસું છે.આજે 20-20નો યુગ છે.લોકો ઓછામાં ઓછા સમયમાં મહત્તમ જગ્યા આવરી લેવા માંગે છે.