[weather_data]
Breaking News
TRENDING NEWS

સોમવારે પ્રથમ દિવસે 4000થી વધું ફેક્ટરી અને ઉદ્યોગો ધમધમતાં થયાં

[updated_date] [post_views]

Table of Content

– અશ્વિની કુમારે જણાવ્યું કે શરતોના ભંગ કરવા બદલ મંજૂરી રદ કરી દેવાશે

અમદાવાદ,

ગુજરાતમાં શહેરી વિસ્તાર સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારથી ચોક્કસ શરતોને આધિન વેપાર ઉદ્યોગોને શરૂ કરવાનો પ્રારંભ કરાયો છે.જેમાં લગભગ ચાર હજાર એકમને અત્યાર સુધીમાં મંજૂરી આપી દેવામાં આવી છે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જાહેર કર્યું છે.

અમદાવાદના 300, રાજકોટના 600, કચ્છ 750, જૂનાગઢ 400, ભરૂચ 450, મોરબીમાં 400 એકમનો સમાવેશ થાય છે.અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગે ઓટોમોબાઈલ અને અન્ય,રાજકોટમાં ઓઈલ મિલો તથા એન્જીનીયરીંગ,ભરૂચમાં કેમિકલ તથા મોરબીમાં સિરામીક ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.આ ઉપરાંત પ્રથમ દિવસે અપાયેલી આ મંજૂરીની પ્રક્રિયા હજુ પણ આગળ ચાલુ રહેશે,તેમ અશ્વિની કુમારે ઉમેર્યું છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારના જણાવ્યા અનુસાર આ તમામ ઉદ્યોગોને સોશીયલ ડિસ્ટન્સિગ અને કામદારોનો વિશેષ ખ્યાલ રાખવો પડશે. કામદારોને રહેવા,જમવા અને આવવા જવાના સમય સ્ટેગર કરવાના તથા એમનાં ફેકટરીમાં પ્રવેશ પહેલાં થર્મલ ગનથી ટેમ્પરેચર માપવા તથા સમયાંતરે ફેક્ટરીને સેનીટાઈઝ કરવાનું ફરજિયાત રહેશે.બાંધકામ ઉદ્યોગમાં કામદારોને રહેવાની સગવડ અને ન હોય તો એમને સોશીયલ ડિસ્ટન્સિગના પાલન સાથે લાવવા લઈ જવાની વ્યવસ્થા ડેવલપર્સે કરવાની રહેશે. તેમજ આ શરતોના ભંગ બદલ મંજૂરી રદ કરી દેવાશે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles