મુંબઈ,તા.૨૪
ફિલ્મમેકર કરણ જોહર સૌરવ ગાંગુલીની બાયોપિક બનાવી શકે છે. અમદાવાદ મિરરના રિપોર્ટ અનુસાર કરણ જોહર બીસીસીઆઈ (બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા)ની ઓફિસમાં ગાંગુલીને મળ્યા હતા. હાલ સૌરવ ગાંગુલી બીસીસીઆઈના પ્રેસિડેન્ટ છે. સૌરવ ગાંગુલીને પ્રેમથી લોકો દાદા તરીકે બોલાવે છે.
મુંબઈમાં શુક્રવારે તેઓ મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મેકર્સ હાલ સ્ટારકાસ્ટની શોધમાં પણ છે જે તેમનો રોલ સંપૂર્ણપણે નિભાવી શકે. આ સિવાય કરણ જોહરની ડિરેક્ટર તરીકેની આગામી ફિલ્મ ‘તખ્ત’ છે. આ મલ્ટિસ્ટારર ફિલ્મમાં વિકી કૌશલ, આલિયા ભટ્ટ, કરીના કપૂર, રણવીર સિંહ, જાહન્વી કપૂર, ભૂમિ પેડનેકર અને અનિલ કપૂર લીડ રોલમાં છે
સૌરવ ગાંગુલી પર બાયોપિક બનશે..!! કારણ જોહર સ્ટારકાસ્ટની શોધમાં
Leave a Comment