અમદાવાદ : અમદાવાદ શહેરમાં મિલકતવેરા સંબંધિત ફરિયાદનો ઓનલાઈન નિકાલ થઈ શકે એ માટે સિસ્ટમ ડેવલપ કરવા સ્ટેન્ડીંગ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.થલતેજમાં આવતીકાલે ૨૨ હજાર ચોરસમીટર જગ્યામાં ૮૫ હજાર રોપા રોપવા આયોજન કરવામાં આવ્યુ છે.સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બાદ ચેરમેન હિતેશ બારોટે પ્રતિક્રીયા આપતા કહ્યુ,મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદના નિકાલ માટે સી.સી.આર.એસ.સિસ્ટમના માધ્યમથી નાગરિકો દ્વારા કરવામાં આવતી ફરિયાદનો સંબંધિત વિભાગ તરફથી નિકાલ કરવામાં આવે છે.આ પધ્ધતિ મુજબ શહેરીજનો તેમની મિલકત વેરા સંબંધિત ફરિયાદ ઓનલાઈન કરે અને તે ફરિયાદનો નિકાલ થઈ શકે એ પ્રકારની સિસ્ટમ ડેવલપ કરવા મ્યુનિ.તંત્રને સુચના અપાઈ છે.
શહેરના થલતેજ વોર્ડમાં શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ટી.પી.સ્કીમ.નંબર-૩૦૧ના ફાઈનલ પ્લોટમાં હેબતપુર પાસે મિયાવાકી પધ્ધતિથી ૮૫ હજાર વિવિધ પ્રકારના રોપાનું વાવેતર કરવામાં આવશે.ઉપરાંત ચાંદખેડા,ત્રાગડ,ડી-કેબીન સહિતના કુલ ચાર રેલવે ક્રોસીંગને સાંકળતા ચાર અંડરબ્રીજ બનાવવા ૩૩ કરોડની કીંમતના પ્રોજેકટનું ખાતમૂહુર્ત કરવામાં આવશે.રથયાત્રા રુટ ઉપર મ્યુનિ.તરફથી છાશ વિતરણ કરાશે અમદાવાદ મ્યુનિ.તંત્ર તરફથી આજે રથયાત્રાના પર્વ નિમિત્તે રથયાત્રાના રુટ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી પાસે ભાવિક ભકતો માટે વિનામૂલ્યે છાશ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવશે.


