ભાજપમાં જૂથબંધીના વાડા બધં કરો તેવી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ચિમકી પછી પણ આવી રહેલી સ્થાનિક સ્વરાયની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે પાર્ટીમાં જૂથબંધી પ્રવર્તી રહી છે.સ્થાનિક ગોડફાધરો પાસે અત્યારથી જ ટિકીટ માટેના સોગઠાં ગોઠવાઇ રહ્યાં છે ત્યારે પાર્ટી સૂત્રો કહે છે કે ૪૦ ટકાથી વધુ કોર્પેારેટરો અને સભ્યોને આ વખતે ટિકીટ મળશે નહીં.
સૂત્રોએ કહ્યું હતું કે રાજયના તમામ મહાનગરોમાં વર્ષેાથી ભાજપનું શાસન હોવાથી એન્ટી ઇન્કમબન્સીનો ભય હોવાથી નો-રિપીટ થિયરીમાં મોટાભાગના સભ્યો આવી શકે છે.પાર્ટી નવયુવાન કાર્યકરોને ટિકીટ આપવા માગે છે.નવા સિમાંકનની જાહેરાત પછી કેટલાક કોર્પેારેટરોનો મતવિસ્તાર બદલાઇ જતો હોઇ વિપક્ષને સફળતા ન મળે તે માટે પાર્ટીના પ્રદેશ પ્રમુખ હાલના કોર્પેારેટરને ટિકીટ આપે તેવી સંભાવના જોવામાં આવતી નથી.
૩૧ જિલ્લા પંચાયત,૨૩૦ તાલુકા પંચાયત,૫૬ નગરપાલિકા અને છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ ઓકટોબર અને નવેમ્બરમાં થવાની છે.મહાનગરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં ચૂંટણી નિર્ધારિત છે.પાર્ટીના સિનિયર નેતાએ કહ્યું હતું કે આ વખતે મહાનગરના કોર્પેારેટરો તેમજ જિલ્લા-તાલુકા પંચાયત તેમજ પાલિકાના વર્તમાન સભ્યો પૈકી કોને ટિકીટ મળી શકે છે અને કોનું પત્તું કપાશે તે નક્કી નથી પરંતુ ૪૦ ટકાથી વધુ સભ્યોને ફરીથી ટિકીટ મળી શકે તેમ નથી તેથી તેમને ઘરે બેસવાનો વારો આવશે.
અમદાવાદ મહાનગરની ચૂંટણીમાં જોઇએ તો પાર્ટીના હાલના સભ્યો અમિત શાહ,આનંદીબહેન પટેલ,સુરેન્દ્ર પટેલ,પ્રદીપસિંહ જાડેજા,જગદીશ પંચાલ અને આઇકે જાડેજાના સમર્થકો છે.આ નેતાઓના સમર્થકોએ અત્યારથી ટિકીટ માટે દોડધામ શ કરી છે.વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી પછી સ્થાનિક ચૂંટણી થવાની છે તેથી ટિકીટ મેળવવા ઇચ્છુક સભ્યો અત્યારે પાર્ટી લાઇનમાં એટલે કે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ધરીમાં જોડાઇ રહ્યાં છે.
ગુજરાતમાં મહાનગરોની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તા મળી શકે તેમ નથી તે ભાજપ સારી રીતે જાણે છે અને ભાજપના નેતાઓ પણ માને છે કે અમે કોઇપણ ઉમેદવાર ઉભો રાખીશું પરંતુ તે ભાજપના સિમ્બોલ પર ચૂંટણી જીતીને આવશે.ગુજરાત કોંગ્રેસના શહેરી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતી નથી અને પ્રભુત્વ ઉભું થાય તેવા પ્રયાસો પણ થતાં નથી,એ સમયે ભાજપને ઉમેદવારો બદલવાનો ચાન્સ મળી રહ્યો છે