ન્યુ દિલ્હી,તા.૨૦
રાજ્યસભામાં હંગામો મચાવવો હવે માનનીય માટે મોંઘા સાબિત થઈ શકે છે. ઉપલા ગૃહની સમિતિએ આવી ભલામણો કરી છે, જેના અમલ પછી, હંગામો કરનારા સાંસદો પાસેથી બિલ ઉપર વોટિંગ કરવાનો અધિકાર છીનવાઈ શકે છે. સદનની જનરલ પર્પસ કમિટીએ કાર્યવાહીને સરળતાથી ચલાવવા માટે ૧૨૪ નવા નિયમો લાગુ કરવાની સાથે ૭૭ નિયમોમાં સુધારાની દરખાસ્ત કરી છે.
જો નવા નિયમો અમલમાં આવે તો લોકસભાની જેમ વેલમાં આવીને હંગામો કરનારા સાંસદોને ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે અને તેમને ૫ દિવસ માટે ગૃહની કાર્યવાહીથી બહાર રહેવું પડી શકે છે. હવે આ સમિતિ નિયમો સાથે જોડાયેલી સમિતિને તેની દરખાસ્તો રજૂ કરશે, ત્યારબાદ તેનો અમલ કરવા અંગે વિચારણા કરવામાં આવશે. નવા નિયમોમાં હંગામો કરનારા સાંસદ પાસેથી મતદાનના અધિકાર છીનવી લેવાનો અને તેને ગેરહાજર કેટેગરીમાં લાગુ કરવાની દરખાસ્ત શામેલ છે.
રાજ્યસભામાં ગતિરોધ એક મોટી સમસ્યા છે અને સંખ્યાબળમાં લોકસભાની સરખામણીએ વધારે મજબૂત વિપક્ષી સાંસદો ઘણીવાર ઉપલા ગૃહમાં હોબાળો મચાવતા જોવા મળે છે. સ્પીકર વેંકૈયા નાયડુએ છેલ્લા ઘણા સત્રોમાં ગડબડીને સમાપ્ત કરવા માટે અને ગૃહને સરળતાથી ચલાવવામાં મદદ કરવા માટે સાંસદોને અપીલ કરી છે, પરંતુ સીએએ જેવા મુદ્દાઓ પર તે અપીલ દેખાઈ ન હતી અને ગૃહમાં ભારે હંગામો થયો હતો.
સ્પીકર વેંકૈયા નાયડૂએ જનરલ પર્પઝ કમિટીની અધ્યક્ષતા કરી હતી. જેમાં ૨૩ દળોનાં નેતાને સામેલ કરવામાં આવ્યા હતા.
સ્પીકર તરફથી મે ૨૦૧૮માં જ નિયમોની સમીક્ષા માટે એક સમિતીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ લગભગ ૫૧ બેઠકો બાદ નવા નિયમોનો પ્રસ્તાવ આપ્યો છે. સભાપતતિ અને ઉપસભાપતિએ રાજકીય દળોની સામે આ સુચન રાખ્યુ છે, જેને બધાની સહમતિ બાદ લાગૂ કરી દેવામાં આવી શકે છે.
હંગામો કરનારા સાંસદો પાસેથી વોટિગ કરવાનો અધિકાર છિનવાશે..!!
Leave a Comment