By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હનુમાનજીના જન્મસ્થળના વિવાદના ઉકેલની ધર્મસભામાં સાધુઓના બે જૂથો બાખડ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હનુમાનજીના જન્મસ્થળના વિવાદના ઉકેલની ધર્મસભામાં સાધુઓના બે જૂથો બાખડ્યા
GeneralNational

હનુમાનજીના જન્મસ્થળના વિવાદના ઉકેલની ધર્મસભામાં સાધુઓના બે જૂથો બાખડ્યા

HM News
Last updated: 01/06/2022 6:15 AM
HM News
3 years ago
Share
SHARE

નાશિક : ભગવાન હનુમાનજીનું જન્મસ્થળ કિષ્કિન્ધા છે કે અંજનેરી છે તે વિવાદના ઉકેલ માટે નાશિકમાં બોલવામાં આવેલી ધર્મસભામાં સાધુઓના બે જૂથો બેઠક વ્યવસ્થાના સહિતના મુદ્દે બાખડ્યા હતા.શાંતિ અને વ્યવસ્થાની પુનઃસ્થાપના માટે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી.કિષ્કિન્ધા મહાપીઠી સ્વામી ગોવિંદાનંદ સરસ્વતીના તાજેતરના દાવા બાદ આ ધર્મસભા બોલાવામાં આવી હતી.તેમણે દાવો કર્યો હતો કે ભગવાન હનુમાનજીનું જન્મસ્થળ અંજનેરી નહીં,પરંતુ કિષ્કિન્ધા છે.અંજનેરી મહારાષ્ટ્રના નાશિકમાં આવેલું છે,જ્યારે કિષ્કિન્ધા કર્ણાટકના જૂના જમાના હમ્પી વિસ્તારમાં આવેલું હોવાનું મનાય છે.તેમણે પોતાની વાત સાથે સંમત ન થતાં લોકોને પુરાવા આપવાનો પણ પડકાર ફેંક્યો હતો.આ પછી નાશિકના સાધુઓ અને મહંતોએ ધર્મસભા બોલવાનો નિર્ણય કર્યો હતો.

જોકે ત્રંબકેશ્વરથી અંજનેરી સુધી 15 કિમીની એક ધાર્મિકયાત્રા કાઢવાની સ્વામી ગોવિંદાનંદ સરસ્વતીની યોજનાનો અંજનેરીના નિવાસીઓ અને સાધુઓએ વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેનાથી વાતાવરણ ખરાબ થશે.સ્વામી ગોવિંદાનંદ સરસ્વતીના આગમનો વિરોધ કરતાં સોમવારે લોકોના ટોળાએ નાશિક-ત્રંબેકેશ્વરનો રોડ બ્લોક કરી દીધો હતો.મંગળવારે ધર્મસભા ચાલુ થઈ ત્યારે તરત પ્રથમ બેઠક વ્યવસ્થાના મુદ્દે અને પછી બીજા મુદ્દે ઉગ્ર દલીલો થઈ હતી.એક ધાર્મિક ગુરુ પોતાની ઓળખ રજૂ કરી રહ્યાં હતાં ત્યારે નાશિકના પ્રખ્યાત ભગવાન કલરામ મંદિરના મહંત સુધીરદાસે તેમને કોંગ્રેસી કહ્યા હોવાનું માનવામાં આવે છે.તેનાથી બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી.મહંત સુધીરદાસે તો હાથ માઇક ઉઠાવી લીધું હતું.દરમિયાન ગોવિંદાનંદ સરસ્વતીના અનુયાયીઓએ દાવો કર્યો હતો કે આ ધર્મસભામાં તેમને પોતાના અભિપ્રાય રાખવા દેવામાં આવ્યા ન હતા.તેનાથી બોલાચાલી થઈ હતી અને સ્થિતિ અંકુશ બહાર ન જાય તે માટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

ભારતની કેરી પહેલી જ વાર દરિયાઇ માર્ગે અમેરિકા રવાના
દેશમાં ટેકસટાઈલના કાચા માલની આયાત પર ડયુટી ઘટાડવાની સરકારની હિલચાલ
ગુજરાત હાઇકોર્ટ : પુત્રને લઇને જતી રહેલી માતા પાસેથી કબ્જો ફરી પિતાને અપાયો
મારી મમ્મી 3 પુરુષો સાથે લિવ ઈનમાં છે, તેમાંથી એકને હું બાળપણમાં મામા કહેતો… દીકરાની હાઈકોર્ટમાં રજૂઆત
મુશ્કેલીમાં વધારો : નુસરત જહાંના લગ્નનો વિવાદ સંસદ પહોંચ્યે, લોકસભાની સભ્યતા રદ્દ કરવાની માગ ઉઠી
Share This Article
Facebook Email Print
Previous Article મન્કીપોક્સના સર્વેલન્સ, ઓળખ માટે માર્ગરેખા જાહેર
Next Article 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને નો એન્ટ્રી : મમતા બેનરજી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up