By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હમાસ અને ઇઝરાયલ વચ્ચે તણાવ, હમાસે ઈઝરાયલ પર 300 રોકેટનો મારો ચલાવ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હમાસ અને ઇઝરાયલ વચ્ચે તણાવ, હમાસે ઈઝરાયલ પર 300 રોકેટનો મારો ચલાવ્યો
GeneralInternational

હમાસ અને ઇઝરાયલ વચ્ચે તણાવ, હમાસે ઈઝરાયલ પર 300 રોકેટનો મારો ચલાવ્યો

HM News
Last updated: 12/05/2021 7:01 AM
HM News
4 years ago
Share
SHARE

ગાજા : કેટલાક ઇઝરાયલ અને હમાસ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. અને આ તણાવ ધીમે ધીમે હિંસક પણ બનતો જાય છે.રાતોરાત બંને પક્ષોની વચ્ચે થયેલા હુમલાઓમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે.તાજેતરના અપડેટ મુજબ,હમાસે પણ ઈઝરાયલ ઉપર લગભગ 100 રોકેટ છોડ્યા છે,જેમાં એક ભારતીયનું પણ મોત થયું છે. અહેવાલ છે કે આ ઘર્ષણમાં અત્યાર સુધી 35 પેલેસ્ટાઇની અને 3 ઇઝરાયલી માર્યા ગયા છે.

બીબીસીના રિપોર્ટ મુજબ, સોમવાર રાતથી અત્યાર સુધી ઈઝરાયલ તરફ 300થી વધારે રોકેટ છોડવામાં આવી ચૂક્યા છે.બીજી તરફ, ઈઝરાયલનું કહેવું છે તેના જવાબમાં તેમણે ગાજામાં 150 સ્થળો પર હુમલો કર્યો છે.મીડિયા રિપોર્સ્ુ મુજબ, હુમલામાં મૃત્યુ પામનારી ભારતીય મહિલાનું નામ સૌમ્યા સંતોષ છે, જે છેલ્લા 7 વર્ષથી ઈઝરાયલમાં રહેતી હતી. રિપોર્ટ્સ મુજબ,હુમલા સમયે સૌમ્યા એક ઘરમાં વૃદ્ધ મહિલાની દેખભાળ કરી રહી હતી.આ ઘટનામાં વૃદ્ધ મહિલાનો જીવ બચી ગયો પરંતુ સૌમ્યાનું મોત થયું છે.મળતી માહિતી મુજબ વૃદ્ધ મહિલાને ઘાયલ અવસ્થામાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સમાં ઈઝરાયલના વિદેશ મંત્રાલયના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે હમાસ તરફથી રહેણાંક વિસ્તારોમાં 130 રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે.આ દરમિયાન જેરુસલેમમાં પણ હિંસાની વાતો સામે આવી રહી છે.ઈઝરાયેલે પણ મંગળવારે હુમલા વધારતા ગાજા પટ્ટી પર હુમલા કર્યા છે.આ દરમિયાન એક વિશાળ ઈમારતને નિશાન બનાવવામાં આવી, જેમાં હમાસના ચરમપંથી રહેતા હતા.આ દરમિયાન 3 આતંકવાદીઓના મોત થયા હતા.

ઈઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે ચાલી રહેલી હિંસાને કારણે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ લૉડ શહેરમાં ઇમરજન્સીની ઘોષણા કરી છે.સરકારે પ્રદર્શનોને કારણે આ નિર્ણય લીધો છે.સમાચાર એજન્સી એએનઆઇએ ધ ટાઇમ્સ ઓફ ઈઝરાયલના રિપોર્ટના હવાલાથી લખ્યું કે આ દરમિયાન ત્રણ ધાર્મિક સ્થળ અને અનેક દુકાનોને આગ લગાવી દેવામાં આવી છે.પ્રદર્શનકર્તાઓએ અનેક વાહનોને આગ ચાંપી દીધી છે.

‘પુસ્તકો કરતા બંદૂકો ઓછી જોખમી છે’, તાલિબાને કર્યો નોર્વેના દૂતાવાસ પર કબજો
કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 52223 પર પહોંચ્યો,મૃત્યુઆંક 1137 અને કુલ 50540 દર્દી રિકવર થયા
ચોમાસું ગુજરાત પહોંચ્યું, આગામી બે દિવસ વાવાઝોડા સાથે વરસાદ થશેઃ હવામાન વિભાગ
નવસારીના 22 ગામમાંથી પસાર થતા એક્સપ્રેસ વે જમીન સંપાદનમાં ખેડૂતોને 256 કરોડ ચૂકવાયા
રાજ્યમાં વધુ 19 કેસ, 13 કેસ અમદાવાદમાં નોંધાયા, કુલ 165
Share This Article
Facebook Email Print
Previous Article દેશમાં વધતાં કોરોના સંક્રમણથી ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી…!!
Next Article હમાસે ઈઝરાયલ પર છોડ્યા 5 મિનિટમાં 137 રોકેટ, એક ભારતીય મહિલાનું મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up