ઉત્તરાખડમાં ઝડપથી પ્રસરી રહ્યો છે કોરોના વાઈરસ. હરીદ્વારના પનિયાલા ગામમાં એક જમાતીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ગામના 13 હજાર લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તો અનેક લોકોના સેંપલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
3 ટ્રેની IFS ઓફિસરે વાયરસ સામે જંગ જીતી
ઉત્તરાખંડમાં વધુ 5 જમાતી કોરોના વાયરસના કારણે સંક્રમિત મળી આવ્યા છે. જેમાં દહેરાદુનના ત્રણ અને રામનગર અને રાનીખેતના 1-1 જમાતી સામેલ છે. પ્રદેશમા કુલ 27 દર્દી સંક્રમિત થઈ ચૂક્યા છે. તો તેમાં કોરોનાથી સંક્રમિત 3 ટ્રેની IFS ઓફિસરોને વાયરસથી જિંદગીની જંગ જીતી લીધી છે. આ ત્રણેય દર્દીને હોસ્પીટલમાંથી ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે.
ક્વોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા
રવિવારના રોજ મેડિકલ કોલેજ હલ્દવાની અને એમ્સ રિશિકેશથી 148 કોરોના સંક્રમણના સેમ્પલ રિપોર્ટ આવ્યા હતા. તપાસમાં દેહરાદૂનના ત્રણ અને રામનગર અને રાનીખેતના 1-1 જમાતીમાં કોરોના સંક્રમણની પુષ્ટી કરવામા આવી છે. દહેરાદુનમાં ત્રણેય સંક્રમિત દર્દીને સુદ્ધોવાલામાં બનાવવામાં આવેલ ક્વોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. જેમાં 2 ડોઈવાલા અને 1 લક્ખીબાગનો રહેવાસી છે.