By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હરિદ્વારમાં કથા સાંભળવા ગયેલાં સુરત-સૌરાષ્ટ્રનાં 447 વડીલો ફસાયા, પૈસા નથી-દવાઓ પૂરી- એક ટાઈમ જમે છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > હરિદ્વારમાં કથા સાંભળવા ગયેલાં સુરત-સૌરાષ્ટ્રનાં 447 વડીલો ફસાયા, પૈસા નથી-દવાઓ પૂરી- એક ટાઈમ જમે છે
GeneralGujarat NowSurat

હરિદ્વારમાં કથા સાંભળવા ગયેલાં સુરત-સૌરાષ્ટ્રનાં 447 વડીલો ફસાયા, પૈસા નથી-દવાઓ પૂરી- એક ટાઈમ જમે છે

HM News
Last updated: 26/03/2020 6:43 AM
HM News
5 years ago
Share
SHARE

હાલ સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેવામાં કોરોનાને કારણે હરિદ્વાર કથા સાંભળવા માટે ગયેલાં સુરત અને સૌરાષ્ટ્રનાં 447 વડીલો ફસાઈ ગયા છે. હવે તેઓની પાસે દવાઓ પણ પૂરી થઈ ગઈ છે. અને રાશન પણ ઓછું હોવાને કારણે તેઓને દિવસમાં ફક્ત એક જ વાર જમવાનું આપવામાં આવે છે. તેવામાં આ વડીલોએ ગુજરાત સરકાર પાસે મદદ માગી છે.

હરિદ્વારમાં 15મી માર્ચે કથાકાર ગણપત બાપાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા સાંભળવા માટે સુરત અને સૌરાષ્ટ્રના 447 જેટલાં વડીલો ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા હતા. 22મી તારીખની તેઓની રિટર્ન ટિકિટ હતી. પણ પીએમ મોદીએ 22મી માર્ચે જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી. જેથી કથા પતાવીને ઘરે પરત પહોંચે તે પહેલાં જ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. અને તમામ વડીલો હરિદ્વારમાં ફસાઈ ગયા હતા.જો કે આ તમામ વડીલોને એક ધર્મશાળામાં આશરો આપવામાં આવ્યો છે. પણ તમામ વડીલો હોવાથી તેઓ ડાયાબિટીસ અને બીપી જેવી બીમારીઓથી પીડાઈ છે. તેઓ પોતાની સાથે 10 દિવસની જ દવાઓ લઈ ગયા હતા. હવે તેઓની પાસે દવાઓનો સ્ટોક પૂરો થઈ ગયો છે. અને હવે તો રાશન ન મળતું હોવાને કારણે તેઓને દિવસમાં ફક્ત એક જ ટાઈમ જમવાની વ્યવસ્થા થઈ રહી છે. જયારે ડાયાબિટીસ વાળા સુકા નાસ્તા પર નિર્ભર રહે છે.

એકબાજુ હવે સમગ્ર દેશમાં ક્લોઝડાઉનની પરિસ્થિતિ છે. સમગ્ર દેશમાં ટ્રેન વ્યવહાર તો ઠીક પણ વાહન વ્યવહાર પણ બંધ છે. તેવામાં વૃદ્ધોને પરત આવવાની કોઈ વ્યવસ્થા થઈ રહી નથી. જેથી આ તમામ વડીલોએ ગુજરાત સરકાર આગળ હાથ ફેલાવીને મદદ માગી છે. અને તેઓને હરિદ્વારમાંથી સહીસલામત ગુજરાત લાવવા માટે અપીલ કરી છે.

US સેનેટે 800 ચાઈનીઝ કંપનીઓને તગેડી મુકવા કાયદો પસાર કર્યો
ભારતે માત્ર 4 વર્ષમાં અધધધ…178 ટન સોનું ખરીદયું, દુનિયાના કુલ રિઝર્વનું 8% સોનું હવે RBI પાસે
મિશન 2022 માટે ભાજપે શરૂ કરી તૈયારીઓ, PM નરેન્દ્ર મોદીના ભરોસે જીતનો ભાજપને વિશ્વાસ
કોરોનાની સાથોસાથ અર્થતંત્રની ચિંતા પણ હવે વધુ ઘેરી બની ગઈ!
યુપીમાં ભાજપને છોડીને અન્ય કોઈ પણ પાર્ટી સાથે જોડાણ કરવા અમે તૈયારઃ પ્રિયંકા ગાંધી
Share This Article
Facebook Email Print
Previous Article બુધવારે વધુ ૪ પોઝિટિવ કેસ સાથે ગુજરાતમાં કોરોનાના ૩૯ કેસ
Next Article બેન્ક લોન અથવા ક્રેડિટ કાર્ડના ઈએમઆઈમાં રાહતના એંધાણ : નાણામંત્રી નિર્મલા સીતારામને આપ્યા સંકેત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up