By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હર્ષ સંઘવીના એક કામથી રાજ્યભરના IPS થઇ ગયા દોડતા !
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > હર્ષ સંઘવીના એક કામથી રાજ્યભરના IPS થઇ ગયા દોડતા !
GandhinagarGeneral

હર્ષ સંઘવીના એક કામથી રાજ્યભરના IPS થઇ ગયા દોડતા !

HM News
Last updated: 11/07/2023 8:46 AM
HM News
2 years ago
Share
Pc : Twitter
SHARE

ગાંધીનગર : રાજ્યભરના આઈપીએસ અધિકારીઓને હર્ષ સંઘવીને દોડતા કરી દીધા છે.વાત જાણે એમ છે કે, હર્ષ સંઘવીએ સામાન્ય લોકોને ન્યાય અપાવવા માટે એક નવી કવાયત હાથ ધરી છે.આ ક્વાયતના ભાગરૂપે રાજ્યભરના તમામ આઈપીએસ અધિકારીઓને ચક્કર આવી ગયા છે.તેઓ તેમની ક્વાયતના ભાગરૂપે જવાબ આપવા માટે કામે વળગી ગયા છે.

જણાવી દઇએ કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હવે તેમને પોતાને મળતી ફરિયાદો રજૂઓતોની અરજી જે તે રેન્જ કમિશનરેટ,જિલ્લા પોલીસ તંત્ર કે એજન્સીને મોકલવાને બદલે સીધી જ ઈ-ગુજકોપ સરલ એપ્લિકેશન પર ચઢાવવાનું શરૂ કર્યું છે.જેથી પત્ર વ્યવહારના બદલે સીધા જ એપ્લિકેશન ઉપર નિર્ધારિત સમયસર નિકાળ કરી શકાય.

એક ઝાટકે 1600 અરજી અપલોડ કરતાં IPS અધિકારીઓ થયા દોડતા

હર્ષ સંઘવીએ એક જ ઝાટકો 1600થી વધારે અરજીઓને ઈ-ગુજકોપ ઉપર અપલોડ કરીને સંબંધિત પોલીસ તંત્ર પાસેથી સાત દિવસમાં કાર્યવાહીનો રિપોર્ટ માંગતા આઈપીએસ અધિકારીઓ બરોબરના ચકરાવે ચડ્યા છે.ઉલ્લેખનિય છે કે, આ એવા સામાન્ય લોકોની અરજીઓ છે,જેમને પોલીસ તંત્ર નજરઅંદાજ કરી દે છે.સ્વભાવિક છે કે, આ અરજીઓમાં મહેસુલ વિભાગને લગતી અરજીઓનો પણ ઢગલો હોઇ શકે છે.

સાવ નાની બાબતોની ફરિયાદો છેક સરકારકક્ષાએ પહોંચતા સંઘવીએ તેને ઈ-ગુજકોક એપમાં ચઢાવી,સંબંધિત પોલીસ અધિકારીઓ પાસેથી કાર્યવાહીનો રિપોર્ટ મેળવી તેની સમીક્ષા અને મોનિટરિંગ માટે ગૃહ વિભાગના ચાર ડેપ્યુટી સેક્રેટરીઓને રાજ્યના ચાર ઝોન સોંપ્યા છે.જેથી આઈપીએસ અધિકારીઓને દરેક જિલ્લા અને શહેર કક્ષાએ નોડલ અધિકારીઓની નિયુક્તિ કરવી પડી છે.રૈયતને પડતી મુશ્કેલીઓ માટે રાજ્યના પદાધિકારીઓ સામે આવી ગયા છે.હર્ષ સંઘવીની મસમોટી કાર્યવાહીએ રાજ્યના આઈપીએસ અધિકારીઓને દોડતા કરી મૂક્યા છે,જણાવી દઇએ કે, રાજ્યમાં અધિક મુક્ય સચિવના પદ્દ પર મનોજ દાસની નિમણૂંક થઇ છે,તેમને આવતાની સાથા જ 100થી વધારે મહેસુલ અધિકારીઓને મેમો ફટકારતા મહેસૂલ વિભાગમાં સન્નાટો થઇ ગયો છે.તેવી જ રીતે સામાન્ય લોકોની સમસ્યાઓનું વ્યવસ્થિત રીતે નિરાકરણ આવે તેથી હર્ષ સંઘવીની કામગીરીથી ન્યાય આપવાનો એક નવો માર્ગ મોકળો બન્યો છે.તો આગામી દિવસોમાં મહેસુલ વિભાગના ભ્રષ્ટાચાર પર પ્રહાર થશે તો રાજ્યના સામાન્ય વ્યક્તિની મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે પોલીસ તંત્રને ઉભા પગે રહેવું પડશે.

અલથાણમાં પાઇપલાઇન તૂટતા ૨૦લાખ લોકોએ પાણી માટે વલખાં મારવા પડયા
વેરાવળ : ચાર સંતાનોના પિતાએ 34 વર્ષીય યુવતી સાથે કર્યા નિકાહ, લગ્નના બીજા દિવસે જ થયું એવું કે જાણીને ચોંકી જશો
શિવસેનાના વધુ 4 નારાજ ધારાસભ્યો સુરત પહોંચ્યા…3 વિશેષ વિમાનમાંથી ગુવાહાટી પહોંચ્યા..એક હજુ હોટેલમાં
ટેરર ફંડીગની તપાસ માટે એનએઆઈ દાઉદના ભાઈ ઈબ્રાહિમનો કબજો લેશે
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ પાસે છે 700 શાર્પ શૂટર્સની ફોજ, 7 રાજયો અને 5 દેશોમાં ધરાવે છે નેટવર્ક
Share This Article
Facebook Email Print
Previous Article ગોત્રી હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસ : બુટલેગર અલ્પુ સિંધીએ કોર્ટ પરિસરમાં રાજુ ભટ્ટ પાસે રૂ.1.05 કરોડની ખંડણી માંગી !
Next Article UCC મુદ્દે કોંગ્રેસનું AIMPLBને સમર્થન, કહ્યું- જ્યાં મુસ્લિમ વસ્તી હશે ત્યાં શરિયા કોર્ટ ખોલવામાં આવશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up