By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ‘હર ઘર તિરંગા’ અભિયાન મુદ્દે રાજકારણ ગરમાયુ : ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાગ્યુદ્ધ શરૂ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ‘હર ઘર તિરંગા’ અભિયાન મુદ્દે રાજકારણ ગરમાયુ : ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાગ્યુદ્ધ શરૂ
GeneralNationalPolitics

‘હર ઘર તિરંગા’ અભિયાન મુદ્દે રાજકારણ ગરમાયુ : ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાગ્યુદ્ધ શરૂ

HM News
Last updated: 05/08/2022 12:05 PM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 05 ઓગસ્ટ 2022 શુક્રવાર : ‘હર ઘર તિરંગા’ અભિયાનને મુદ્દે હવે નવુ રાજકારણ શરૂ થઈ ગયુ છે. વિપક્ષનો આરોપ છે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે 52 વર્ષ સુધી પોતાના મુખ્યાલય પર તિરંગો કેમ ફરકાવ્યો નહીં.આ પ્રશ્નોનો જવાબ ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ આપ્યો છે.તેમણે કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

તેમણે કહ્યુ, 2006 પહેલા બિન સરકારી સંસ્થાઓને પોતાના કાર્યાલયમાં ધ્વજ ફરકાવવાની અનુમતિ હતી જ નહીં.આ આરોપ બિલકુલ નિરાધાર છે કે 52 વર્ષ સુધી તિરંગો કેમ ફરકાવવામાં આવ્યો નહીં.તે કોંગ્રેસના જ સાંસદ છે જેમના કેસ લડ્યા બાદ સૌને અધિકાર મળ્યો.બીજેપી પ્રવક્તાએ શ્રીનગરમાં 10 વર્ષ સુધી ધ્વજ ના ફરકાવવાની અનુમતિનો હવાલો આપતા કોંગ્રેસને ઘેરી અને કહ્યુ કે તમે તિરંગા સાથે જબરો ન્યાય કર્યો છે.આઝાદ હિન્દુસ્તાનમાં 1988થી 1998 સુધી દસ વર્ષ શ્રીનગરના લાલ ચોકમાં રાજ્યપાલ ધ્વજ ફરકાવી શકતા નહોતા.

1992માં બીજેપીના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ મુરલી મનોહર જોશી ત્યાં ગયા તો તેમની ધરપકડ કરાઈ કે શ્રીનગરમાં ધ્વજ ફરકાવવા દેવાશે નહીં.જે બાદ વર્ષ 2012-13માં જ્યારે અનુરાગ ઠાકુર યુવા મોર્ચાના અધ્યક્ષ હતા ત્યારે સુષ્મા સ્વરાજ,અરૂણ જેટલી, અનંત કુમારની ધરપકડ કરાઈ કે શ્રીનગરમાં ધ્વજ નહીં ફરકાવવા દઈએ.તેમણે કહ્યુ તે કોંગ્રેસ જેને 1885માં બ્રિટિશ સરકારના સચિવ એલેન ઓક્ટોવિયમ હ્યુમ દ્વારા સ્થાપિત કરવામાં આવી અને 1937માં પહેલીવાર રાજ્યોમાં યુનિયન બેન્કની નીચે ઉભા રહીને બ્રિટિશ ક્રાઉન પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરતા સત્તા મેળવી.જે બાદ કેન્દ્રની વચગાળાની સત્તા મેળવી અને આઝાદીને લઈને વારંવાર અડચણો લાવી,આજે કહે છે કે સ્વતંત્રતા આંદોલનના પ્રતીક તે છે તો મારા હિસાબે રાહુલ ગાંધી જી ને ઈતિહાસનો મુદ્દો છેડીને ખોટુ કર્યુ છે.

ઉલ્લેખનીય છેકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી કહ્યુ કે ઈતિહાસ સાક્ષી છે, હર ઘર તિરંગા અભિયાન ચલાવનારા તે દેશદ્રોહી સંગઠનમાંથી નીકળ્યા છે,જેમણે 52 વર્ષ સુધી તિરંગો ફરકાવ્યો નહીં.આઝાદીની લડતથી આ કોંગ્રેસ પાર્ટીને ત્યારે પણ રોકી ના શક્યા અને આજે પણ નહીં રોકી શકે.

હાર્દિક પટેલ અને કોંગ્રેસે રામ મંદિર મુદ્દે વાણીવિલાસ કરીને કરોડો હિન્દુઓની લાગણી દુભાવી
યસ બેન્ક ક્રાઇસિસઃ ED અનિલ અંબાણીની પૂછપરછ કરશે
કોરોના જનક ચીન હવે સપ્ટેમ્બરમાં કોરોના વેક્સીન લોન્ચ કરશે
CR પાટીલ ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા? BJP ધારાસભ્ય હર્ષ સંઘવીએ કર્યો ખુલાસો
બારડોલી સિનિયર સીટીઝન ક્લબમાં જન્મદિનની ઉજવણી પ્રસંગે ‘ભગવદગીતા સૌને માટે’ વિષય પર પ્રવચન યોજાયું
Share This Article
Facebook Email Print
Previous Article દિલ્હી પોલીસે ભાજપના સાંસદ મનોજ તિવારીને ફટકાર્યો 21000નો દંડ, ભાજપના સાંસદ અને એકટરે માંગી માફી
Next Article સ્ટીલ કંપનીઓને મળી શકે છે રાહત : એક્સપોર્ટ ડ્યૂટીમાં મોટા ઘટાડો કરવાની સરકારની તૈયારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up