નવી દિલ્હી : આવકવેરા ખાતું હવે કરદાતાઓની આળસ દૂર કરવા માંગે છે અને સખત નિયમો દાખલ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ઘણા બધા કરદાતાઓ આવકવેરા ખાતાની નોટીસ નો જવાબ આપવામાં ગફલત કરે છે અને બિનજરૂરી વિલંબ કરતા હોય છે.હવે આવકવેરા ખાતાની નોટીસ નો જવાબ જો નિશ્ચિત સમયમયર્દિામાં આપવામાં નહીં આવે તો વારંવાર પેનલ્ટી ભરવાનો વારો આવશે.આ મુજબની સૂચના ઇન્કમટેક્ષ ના અધિકારીઓને આપી દેવામાં આવી છે.હજુ ગયા અઠવાડિયે જ ઇન્કમટેક્સ એપેલેટ દ્વારા ફરીથી એવી સૂચના જારી કરવામાં આવી હતી કે આવકવેરા ધારાની કલમ 143 -2 હેઠળ ઇસ્યુ કરવામાં આવતી નોટિસ ની કાર્યવાહી છ માસની અંદર પૂરી થઈ જવી જોઈએ અને તેનું એસેસમેન્ટ થઈ જવું જોઈએ.
જ્યારે કોઈપણ કરદાતાના આઈટી રિટર્ન માં ખામીઓ દેખાય છે ત્યારે આવકવેરા ખાતા દ્વારા ઉપરોક્ત કલમ હેઠળ નોટિસ ઇશ્યુ કરવામાં આવે છે પરંતુ અનેક નોટિસનો જવાબ કરદાતાઓ આપવાનું ચૂકી જતા હોય છે અથવા તો બિનજરૂરી વિલંબ કરવામાં આવે છે.પરંતુ હવે કરદાતાઓ જો આવકવેરા ખાતાની નોટીસ નો નિશ્ચિત સમયમયર્દિામાં જવાબ નહીં આપે તો રિકરિંગ પેનલ્ટી વસૂલવામાં આવશે અને કરદાતાને તે મોંઘુ પડી જશે.આવકવેરા ખાતા દ્વારા વારંવાર કરદાતાઓને નોટિસો આપવામાં આવે છે અને તેનો જવાબ મળતો નથી તેવી અનેક ઘટનાઓ ઘણા લાંબા સમયથી આકાર લઇ રહી છે અને આ સિસ્ટમને બંધ કરવા માટે રિકરિંગ પેનલ્ટી નો નિયમ દાખલ કરવામાં આવ્યો છે.
વાસ્તવમાં નોટિસ મળી ગયા બાદ તરત જ સંબંધિત દસ્તાવેજો સાથે કરદાતાએ જવાબ આપી દેવો જોઈએ અને બિનજરૂરી પેનલ્ટી થી પોતાનો બચાવ કરવો જોઇએ તેવી અપીલ પણ આવકવેરાના ટોચ લેવલના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.