By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હવે આવકવેરાની નોટિસનો જવાબ નહીં આપો તો વારંવાર ભરવાનો વારો આવશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હવે આવકવેરાની નોટિસનો જવાબ નહીં આપો તો વારંવાર ભરવાનો વારો આવશે
GeneralNational

હવે આવકવેરાની નોટિસનો જવાબ નહીં આપો તો વારંવાર ભરવાનો વારો આવશે

HM News
Last updated: 23/03/2021 7:40 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : આવકવેરા ખાતું હવે કરદાતાઓની આળસ દૂર કરવા માંગે છે અને સખત નિયમો દાખલ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ઘણા બધા કરદાતાઓ આવકવેરા ખાતાની નોટીસ નો જવાબ આપવામાં ગફલત કરે છે અને બિનજરૂરી વિલંબ કરતા હોય છે.હવે આવકવેરા ખાતાની નોટીસ નો જવાબ જો નિશ્ચિત સમયમયર્દિામાં આપવામાં નહીં આવે તો વારંવાર પેનલ્ટી ભરવાનો વારો આવશે.આ મુજબની સૂચના ઇન્કમટેક્ષ ના અધિકારીઓને આપી દેવામાં આવી છે.હજુ ગયા અઠવાડિયે જ ઇન્કમટેક્સ એપેલેટ દ્વારા ફરીથી એવી સૂચના જારી કરવામાં આવી હતી કે આવકવેરા ધારાની કલમ 143 -2 હેઠળ ઇસ્યુ કરવામાં આવતી નોટિસ ની કાર્યવાહી છ માસની અંદર પૂરી થઈ જવી જોઈએ અને તેનું એસેસમેન્ટ થઈ જવું જોઈએ.

જ્યારે કોઈપણ કરદાતાના આઈટી રિટર્ન માં ખામીઓ દેખાય છે ત્યારે આવકવેરા ખાતા દ્વારા ઉપરોક્ત કલમ હેઠળ નોટિસ ઇશ્યુ કરવામાં આવે છે પરંતુ અનેક નોટિસનો જવાબ કરદાતાઓ આપવાનું ચૂકી જતા હોય છે અથવા તો બિનજરૂરી વિલંબ કરવામાં આવે છે.પરંતુ હવે કરદાતાઓ જો આવકવેરા ખાતાની નોટીસ નો નિશ્ચિત સમયમયર્દિામાં જવાબ નહીં આપે તો રિકરિંગ પેનલ્ટી વસૂલવામાં આવશે અને કરદાતાને તે મોંઘુ પડી જશે.આવકવેરા ખાતા દ્વારા વારંવાર કરદાતાઓને નોટિસો આપવામાં આવે છે અને તેનો જવાબ મળતો નથી તેવી અનેક ઘટનાઓ ઘણા લાંબા સમયથી આકાર લઇ રહી છે અને આ સિસ્ટમને બંધ કરવા માટે રિકરિંગ પેનલ્ટી નો નિયમ દાખલ કરવામાં આવ્યો છે.

વાસ્તવમાં નોટિસ મળી ગયા બાદ તરત જ સંબંધિત દસ્તાવેજો સાથે કરદાતાએ જવાબ આપી દેવો જોઈએ અને બિનજરૂરી પેનલ્ટી થી પોતાનો બચાવ કરવો જોઇએ તેવી અપીલ પણ આવકવેરાના ટોચ લેવલના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.

દિલ્હીમાં 2 મહિના સુધી મળશે ફ્રી અનાજ, ઓટો-ટેક્સીવાળાના મળશે 5000
નુપૂર શર્માને 22મી જૂને હાજર થવા મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું
‘બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના’ : કંગાળ પાકિસ્તાને અર્મિનિયા-અઝરબૈજાન યુદ્ધમાં સૈનિકો મોકલ્યા
બારડોલીમાં ત્રણ બંધ મકાનોને નિશાન બનાવી તસ્કરો લાખોની મત્તા ચોરી ગયા
ચાઈનાએ માછલીના કન્ટેનરો રિજેક્ટ કરતા માછીમારોને રૂ.૩૦ કરોડની નુક્સાની
Share This Article
Facebook Email Print
Previous Article સુરત : સિન્ડિકેટની બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં લેવાયા ઘણા મોટા નિર્ણય, વધુ ફી વસુલનારી કૉલેજો પર થશે કાર્યવાહી
Next Article સરકારી તિજોરીમાં 115 કરોડની ધરખમ આવક : પ્રજા માટે જાણે દાઝ્યા પર ડામ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up