By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હવે ગમે તે ઘડીએ રાજ્યમાં મોટાપાયે IAS-IPSની બદલીનો ગંજીફો ચિપાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > હવે ગમે તે ઘડીએ રાજ્યમાં મોટાપાયે IAS-IPSની બદલીનો ગંજીફો ચિપાશે
GandhinagarGeneral

હવે ગમે તે ઘડીએ રાજ્યમાં મોટાપાયે IAS-IPSની બદલીનો ગંજીફો ચિપાશે

HM News
Last updated: 01/10/2022 9:02 AM
HM News
3 years ago
Share
SHARE

– આવનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને લઈ બદલીઓનો દોર થશે
– થોડા જ દિવસો પૂર્વે એક સાથે 20 IPSની બદલી-બઢતીનો નિર્ણય લેવાયેલો
– બદલી પાછળ હંમેશા રાજકીય પરિબળ ભાગ ભજવી જતું હોય છે

વિધાનસભા ચૂંટણી પૂર્વે 3 વર્ષથી એક જ સ્થળે સેવારત અધિકારીઓને અન્યત્રે ખસેડવા ભારતના મુખ્ય ચૂંટણી પંચની સુચનાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે.આગામી દિવસોમાં સીનીયર IAS અને IPS સ્તરે મોટાપાયે ફેરફારનો વધુ એક રાઉન્ડ આવશે તેમ મનાય છે.અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ શહેરના પોલીસ કમિશન તેમજ રાજયના નવ રેન્જ IGPની બદલીઓ થવાની શકયતા છે.જયારે IAS અધિકારીઓના ફેરફાર થાય તેમ છે.આગામી દિવસમાં વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને મોટાપાયે બદલીઓ- બઢતીઓ થશે.થોડા દિવસો પહેલા 18મી સપ્ટેમ્બરે પણ રાજ્યના ગૃહ વિભાગે 20 IPS અધિકારીઓની બઢતી અને બદલીના હુકમો કર્યા હતા.તે જ અરસામાં સરકારે 82 ડીવાયએસપીની પણ બદલીઓનો નિર્ણય લીધો હતો.અલબત્ત, જ્યારે 20 IPSની બદલીઓ થઈ ત્યારે એડીજીપી આર.બી.બ્રહ્મભટ્ટ,બ્રિજેશકુમાર ઝા,વીરેન્દ્રસિંહ યાદવ,અજિત રંજન,સાફીન હસન જેવા અધિકારીઓની પણ બદલી-બઢતી કરવામાં આવી હતી.

વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ પૂર્વે આ પ્રકારે મોટાપાયે IPS-IAS અધિકારીઓની બદલીઓ એ સામાન્ય બાબત ગણાવાય છે.પરંતુ, આ બદલીઓમાં પણ રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીના પરિપ્રેક્ષ્‍યને તથા જે તે જિલ્લાના અનેક વિસ્તારોની સંવેદનશીલતાને પણ ધ્યાને લેવામાં આવતી હોય છે.ચૂંટણી પંચની માર્ગદર્શિકાના પરિણામે બદલીઓનો ગંજીફો ચિપાય છે પરંતુ દરેક અધિકારીની બદલી પાછળ હંમેશા રાજકીય પરિબળ ભાગ ભજવી જતું હોય છે તે બ્યૂરોક્રસીમાં સર્વસ્વિકૃત હકીકત છે.

જ્ઞાનવાપી પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે સુનાવણી, હિંદુ પક્ષે મુકી આ ચાર માંગ
નાણાંકીય સંકટમાંથી ઉગરવા હવે રાંધણગેસનાં ભાવમાં વધારો
ગુજરાતના રમખાણો અંગે અમિત શાહે કહ્યું : ’19 વર્ષ સુધી મોદીજી વિષપાન કરતા રહ્યા’
યુએનની નાગરિકતા સંશોધન કાયદામાં દખલ માટે સુપ્રીમમાં અરજી, ભારતે કહ્યું- અમારી આંતરિક બાબત છે
મહાનથી પણ મોટો કોઇ શબ્દ હોય તો તે સચિન માટે વાપરીશ : ઇંજમામ ઉલ હક
Share This Article
Facebook Email Print
Previous Article આપના વધતા પ્રભાવ વચ્ચે ભાજપ હાર્ડકોરને બદલે સોફ્ટ હિન્દુત્વના પંથે, મોદીએ આ મુદ્દાઓને કર્યા સાઈડલાઈન
Next Article GST અધિકારીનો સપાટો : વીમા કંપની- NBFCની અધધ.. 824 કરોડની કરચોરી ઝડપી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up