ગુજરાતને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવા રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રીની ઓળખ ધરાવતા વિજયભાઈ રૂપાણીએ કેટલાંક કડક કાયદાઓ અમલમાં મૂકી અસામાજિક તત્વો અને ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારા સામે કડક પગલાં ભર્યા છે.મજબૂત અને નિર્ણાયક સરકારનું નેતૃત્વ કરનાર મજબૂત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં દારૂનાં દૂષણ સામે,ભૂમાફીયાઓ વિરુદ્ધ,ગુંડાઓ સામે તથા ગૌવંશ હત્યા કરનારા વિરુદ્ધ કડક કાનૂન બનાવ્યા છે અને એ સખ્ત કાયદાઓનો અસરકારક અમલ કરી ગુજરાતની જનતાને શાંતિ,સલામતી, સુરક્ષાની ભાવના પ્રદાન કરી છે.હવે આ જ રૂપાણી સરકાર રાજ્યમાં લવ જેહાદ વિરુદ્ધ અત્યંત કઠોર કાનૂન બનાવવા જઇ રહી છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ અંગેના સ્પષ્ટ સંકેતો એક કરતાં વધુ વખત આપી દીધા છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં શાસનમાં આજે ગુંડાઓ ગુજરાત છોડી ભાગી રહ્યાં છે,નામચીન ગેંગ અને માથાભારે શખ્સો જેલ હવાલે છે.ગુજરાત હવે તોફાનો,રમખાણો અને ગુનાખોરી મુક્ત થવા જઈ રહ્યું છે.ગુજરાતમાં શાંતિ અને સલામતી સ્થપાઈ રહી છે.શાંતિ,સદ્દભાવ અને સૌહાર્દનું વાતાવરણ સમાજમાં સ્થપાઈ રહ્યું છે.હવે આવનારા સમયમાં ગુજરાતની તમામ જનતાની સાથે ગુજરાતની બહેનો-દીકરીઓને પણ વધુ શાંતિ અને સલામતીનો અહેસાસ કરાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આગામી વિધાનસભા સત્રમાં લવજેહાદ અંગેનો કડક કાયદો બનાવવાનું નક્કી કરી લીધુ છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં આ નિર્ણયથી હિંદુ સમાજની બહેનો-દીકરીઓ રક્ષણ મળશે ઉપરાંત અનેક હિંદુ માતા-પિતાઓ પણ ચિંતામુક્ત બનશે.
વિધર્મી યુવાનો દ્વારા હિંદુ ધર્મની યુવતિઓને ભોળવીને તેમની સાથે સંબંધ બાંધવામાં આવે છે અને ત્યારબાદ લગ્ન કરવામાં આવે છે.સમય જતા વિધર્મી યુવાનો હિંદુ યુવતિને ત્યજી દે છે.ઘણાં કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું છે કે,હિન્દુ યુવતીઓને જાણી-જોઈ ને પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે અને ધાર્મિક કારણોસર જ આવી યુવતીઓનું જીવન બરબાદ કરી દેવામાં આવે છે.દેશમાં અનેક સ્થળે આવી અબુધ,મુગ્ધ યુવતીઓની તેનાં વિધર્મી પતિએ હત્યા કર્યાનાં કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે.
અને જે બચી ગઈ છે, તેમાંથી અનેક હિંદુ યુવતિઓનું જીવન છીન્નભીન્ન થઈ ગયું છે.દેશમાં પ્રથમ વખત ઉત્તરપ્રદેશની ભાજપ સરકારે લવજેહાદ વિરુદ્ધ કાયદો ઘડ્યો હતો.ત્યારબાદ મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યો દ્વારા લવજેહાદ અંગે કાયદા અથવા વટહુકમ બહાર પાડવાનું શરૂ થયું છે.ગુજરાતમાં પણ લવજેહાદનાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.તેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગહન ચર્ચાવિચારણા કર્યા બાદ લવજેહાદ અંગે કડક કાયદો બનાવવાની જાહેરાત કરી છે.જે અંતર્ગત આગામી સમયમાં વિધર્મીઓ દ્વારા હિંદુ યુવતીઓને ફસાવવાના કિસ્સાઓમાં ઘટાડો જોવા મળશે.લવજેહાદ વિરુદ્ધનો કાયદો ગુજરાત વિધાનસભાનાં આગામી સત્રમાં પસાર કરવાના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નિર્ણયથી સમગ્ર ગુજરાતનાં હિંદુ સમાજે હાશકારો અનુભવી મુખ્યમંત્રી રૂપાણીનો મનોમન આભાર વ્યક્ત કર્યો છે.