By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હવે ટ્વિટર..ભૂલ કરશે તો ચકલીને સરકાર પાંજરે પૂરી દેશે !
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હવે ટ્વિટર..ભૂલ કરશે તો ચકલીને સરકાર પાંજરે પૂરી દેશે !
GeneralNational

હવે ટ્વિટર..ભૂલ કરશે તો ચકલીને સરકાર પાંજરે પૂરી દેશે !

HM News
Last updated: 16/06/2021 5:50 AM
HM News
4 years ago
Share
SHARE

સોશિયલ મીડિયાના વાયરલ વાયરસને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકાર તરફ દ્વારા નવા આઈટી નિયમો લાગુ કરવામાં આવ્યા છે.નવી ગાઈડલાઈનને લઈ ફેસબુક,ટ્વિટર અને વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે ઘણાં વિવાદ અને સંઘર્ષ બાદ સરકારે નિયમો કડકાઈ પૂર્વક લાગુ કરી જ દીધા છે.અને તેને ન માનનાર કંપનીઓ સામે આકરા પગલાં ભરવાનું પણ શરૂ કરી દીધું છે.સરકારે વારંવાર ચેતવણી આપ્યા હોવા છતાં નવા નિયમોનું પાલન ન કરવા બદલ ટ્વિટર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.સરકારે ટ્વિટર પાસેથી “સેફ હાર્બર” ઈન્ટરમીડિયેટનો દરજ્જો લઈ લીધો છે.જેથી હવે તો ટ્વિટર કઈ પણ ભૂલ કરશે તો પાંજરે પુરાશે.

નવા આઈટી નિયમો ન માનનાર સોશિયલ મીડિયા જાયન્ટ્સ સામે સરકારની આકરી કાર્યવાહી શરૂ

ટ્વિટરે તેની મધ્યવર્તી સ્થિતિ ગુમાવી છે.ટ્વિટર સ્ટેચ્યુટરી ઓફિસરની નિમણુંક કરવામાં નિષ્ફળ જતા સરકારે આ આકરી કાર્યવાહી કરી છે.તેના પ્લેટફોર્મ પર જો કોઈ વ્યક્તિ કે સમૂહ કે અન્ય કોઈ ત્રીજો પક્ષ ગેરકાયદે કમેન્ટ,કન્ટેન્ટ કે કોઈ પોસ્ટ કરશે તો તેની માટે આ થર્ડ પાર્ટી સિવાય ટ્વિટર પણ જવાબદાર ગણાશે.એટલે કે, હવે જો આ વિષય અંગે કોઈ ફરિયાદ મળે તો ટ્વિટર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થઈ શકે છે.જેલના સળિયા પણ ગણવા પડી શકે છે.

5 જૂને સરકારે નિયમોનું પાલન કરવાની અંતિમ ચેતવણી આપી હતી

ઉલ્લેખનીય છે કે નવા નિયમોના પાલન માટે ટ્વિટરને અંતિમ ચેતવણી 5 જૂને સરકાર દ્વારા આપવામાં આવી હતી.આઈટીના નવા નિયમોમાં ફરિયાદી અધિકારીની નિમણૂક,સ્ટેચ્યુટરી ઓફિસર ઉપરાંત નોડલ ઓફિસરની નિમણુક કરવી ફરજિયાત બનાવી દેવામાં આવી છે.પરંતુ વારંવાર ચેતવણી આપવા છતાં પણ આ મુદ્દે કોઈ એક્શન ન લેતા સરકારે એક્શન મોડમાં આવી ટ્વિટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.

મેસેજિંગ એપ સિગ્નલ પર પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે.વચગાળાના દરજ્જાની સમાપ્તિ પછી આ બંને પ્લેટફોર્મ્સ સામાન્ય માધ્યમોની શ્રેણી હેઠળ આવશે અને ત્યારબાદ વિદેશી રોકાણ મર્યાદા વગેરે પર પ્રતિબંધ પણ શરૂ થશે. નોંધનીય છે કે ગત ફેબ્રુઆરી માસમાં ઇલેક્ટ્રોનિક અને આઇટી મંત્રાલયે ઇન્ટરનેટ મીડિયા માટે નવા નિયમો જારી કર્યા હતા.ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મને આ નિયમોનું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, જે 25 મેના રોજ સમાપ્ત થયો હતો.

ફાયર NOC વિનાની 893 રહેણાક, કોમર્શિયલ ઇમારતોને નોટિસો
ભૂપેન્દ્ર પટેલની ટીમમાં કોણ મંત્રી બનશે અને કોણ પડતા મૂકાશે? આ 2 લોકો પર છે મદાર
પોલીસ કોન્સ્ટેબલ દ્વારા જ સસ્તા સોનાંના નામે ઝવેરી સાથે 12 લાખની ઠગાઈ
લખીમપુર હિંસા કેસમાં 5000 પાનાની ચાર્જશીટ દાખલ, કેન્દ્રીય મંત્રીનો પુત્ર આશિષ મિશ્રા મુખ્ય આરોપી
દારૂના કેસમાં પોલીસ કોન્સ્ટેબલે માંગી રૂ. 65 હજારની લાંચ, ACB એ દબોચ્યો
Share This Article
Facebook Email Print
Previous Article ભારતને મદદ કરવાના નામે ભેગા કરેલા ફંડનો ઇસ્લામિક કટ્ટરપંથીઓએ વહીવટ કરી નાખ્યો ,આતંકવાદીઓને 158 કરોડ આપ્યા !!
Next Article શું ગુજરાતમાં વધુ છૂટછાટ સાથે કરાશે સંપૂર્ણ અનલૉક ડાઉન ..? આજે લેવાશે મહત્વના અનેક નિર્ણય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up