હવે તમે ઘરે બેસીને રેશન કાર્ડ બનાવડાવી શકો છો. જણાવી દઈએ કે મોદી સરકારે કોરોના કાળમાં ‘પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને ફ્રીમાં રાશન આપ્યું હતું જેમાં ગરીબોને રાહત મળી હતી.જો કે આ યોજનાનો લાભ માત્ર એ જ લોકો ઉઠાવી શકે છે જેની પાસે રેશન કાર્ડ હતા.
હવે તમારે આ પ્રકારની સરકારી યોજના લાભ લેવા માટે રેશન કાર્ડની જરૂરત પડશે.જેને બનાવવા માટે હવે સરકારી ઓફિસના ચક્કર લગાવવાની જરૂરત નથી,કારણ કે આ પ્રક્રિયા ઓનલાઇન થાય છે.તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ બે કેટેગરીમાં બનાવવાનું કામ કરવામાં આવે છે.ગરીબી રેખાથી નીચે જીવન પસાર કરતા લોકો માટે BPL રેશન કાર્ડ જયારે ગરીબી રેખાની ઉપર જીવન પસાર કરવા વાળા લોકો માટે વગર BPL કાર્ડ ઉપલબ્ધ કરાવે છે.
આ લોકો કરી શકે છે આવેદન
ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ રેશન કાર્ડ માટે આવેદન કરી શકે છે. માત્ર એક જ રાજ્યનો રેશન કાર્ડ તમારી પાસે હોવો જરૂરી છે. રેશન કાર્ડમાં એક મુખિયા અને પરિવારના અન્ય સભ્યોના નામ જોડવામાં આવે છે. જણાવી દઈએ કે રેશન કાર્ડ માટે પહેલા સરકારી ઓફિસના ચક્કર ખાવા પડતા હતા. હવે આ ઇન્ટરનેટ યુગ આવ્યા પછી ઘરે બેઠા ઓનલાઇન રેશન કાર્ડ માટે આવેદન કરી શકે છે.
આ રીતે કરો આવેદન
રેશન કાર્ડ આવેદન કરવા માટે તમારે રાજ્યના ફૂડ પોર્ટલ પર જઈ ઓનલાઇન આવેદન કરી શકો છો.ત્યાં તમને રેશન કાર્ડ માટે ફોર્મ ડાઉનલોડ કરવા પડશે. રેશન કાર્ડ બનાવવા માટે તમારે આધાર કાર્ડ,વોટર કાર્ડ,ડ્રાઇવિંગ લાઇસેંસ અથવા કોઈ આઈડી આપવી પડશે.આવેદન કર્યા પછી 5 થી 45 રૂપિયા ફી જમા કરાવવી પડશે.ફોર્મ સબમિટ થયા પછી ફિલ્ડ વેરિફિકેશન માટે મોકલવું પડશે.વેરિફિકેશન 30 દિવસની અંદર પુરી થાય છે.આ પ્રક્રિયા પુરી થતા જ રેશન કાર્ડ બનીને તૈયાર થઇ જશે.
રેશન કાર્ડ રજીસ્ટ્રેશન માટે દસ્તાવેજ
– આધાર કાર્ડ
– પાન કાર્ડ
– પરિવારના મુખિયાનો પાસપોર્ટ સાઈઝ ફોટો
– આવક પ્રમાણ પત્ર
– ગેસ કનેકશન ડિટેલ્સ
– જાતિપ્રમાણ પત્ર
– બેન્ક ખાતાની પાસબુક
– મોબાઈલ નંબર