ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રી મંડળના મંત્રીઓએ શપથ લઈ લીધા છે.નવા મંત્રી મંડળમાં જૂના જોગીઓનું પત્તુ કપાઈ ગયુ છે,ત્યારે તમામ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે.પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી પૂર્વ સરકારના મંત્રી મંડળમાંથી કોઈને પણ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.જેના કારણે ભાજપમાં આંતરિક સંતોષના સમાચાર સામે આવ્યા હતા.
ગુજરાતના નેતૃત્વમાં નાટ્યાત્મક પરિવર્તન અને પાર્ટીમાં અસંતુષ્ટો તેમજ મંત્રી મંડળમાં નવા ચહેરાઓ વિશે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંદેશ ન્યૂઝ એક્સક્લુઝીવ સાથે ખાસ વાતચીત કરી હતી.
ગુજરાત ભાજપ દ્વારા નવો પ્રયોગ કરાયો
નીતિન પટેલે સંદેશ ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાતમાં પ્રથમ વખત એવો પ્રયોગ કરવામાં આવ્યો છે.જેમાં ભાજપના નવા નિર્ણયના કારણે જૂના મંત્રીઓને કેબિનેટમાં સ્થાન નથી મળી શક્યું.આ નિર્ણયનો કેટલો ફાયદો થશે,તે ભવિષ્યમાં સામે આવશે. નવા મંત્રીઓ પાસે સવા વર્ષ જેટલો સમય જ બચ્યો છે,તેમની સામે અનેક પડકારો છે.નવા મંત્રીઓએ ટૂંક સમયમાં ઘણાં બધા કામ કરવાના છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીને કેમ બદલ્યા?
મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ બદલ્યા તેનું પણ કોઈ કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું.વિધાનસભા ચૂંટણી પહેલા નવા અને યુવા ચહેરા જુદા-જુદા વિસ્તારો અને જાતિઓના મંત્રીઓને પ્રજાની વચ્ચે કામ કરતા કરવા અને તેમના માન-સન્માનમાં વધારો કરવો તે પ્રકારની વ્યૂહ રચના હોય તેમ મારું માનવું છે.
2022માં નીતિન પટેલનું શું ભૂમિકા રહેશે?
જો હું અત્યારે પણ મહેસાણાનો ધારાસભ્યો છે. કડી અને મહેસાણા મારા જૂના અને નવા વિધાનસભા વિસ્તારના વિકાસના કામોને આગળ ધપાવવાનું છે. હું 25 વર્ષથી ધારાસભ્ય છુ અને 18 વર્ષ કરતાં વધુ સમયથી મંત્રી છું.ભાજપમાં અનેક પ્રકારની જવાબદારી મેં સંભાળી છે. આખા ગુજરાતમાં દરેક જ્ઞાતિ અને સમાજના પ્રશ્નો અને સમસ્યાના નિરાકરણ અને અમારી સરકારે કરેલી કામગીરી પ્રજા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યાં છે.એટલે અમે મંત્રી નથી એ વાત સાચી,પરંતુ અમે પક્ષના કાર્યકર્તા તરીકે જે કામ સોંપવામાં આવશે તે કરીશું.
શપથ વિધિ કેમ અટકાવવામાં આવી?
ભાજપ હાઈ કમાન્ડનો આ નિર્ણય યોગ્ય અને વ્યાજબી છે. જેમ-જેમ સમય આગળ વધશે, તેમ તેનું પરિણામ જાણવા મળશે.નવા નિર્ણયની અસર કેટલી થશે? તે-તો આગામી સમયમાં જાણવા મળશે.