By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હવે મહંત નરસિંહાનંદે ગાંધી માટે વિવાદિત નિવેદન આપ્યું,કાલીચરણની ધરપકડનો કર્યો વિરોધ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હવે મહંત નરસિંહાનંદે ગાંધી માટે વિવાદિત નિવેદન આપ્યું,કાલીચરણની ધરપકડનો કર્યો વિરોધ
GeneralNational

હવે મહંત નરસિંહાનંદે ગાંધી માટે વિવાદિત નિવેદન આપ્યું,કાલીચરણની ધરપકડનો કર્યો વિરોધ

HM News
Last updated: 31/12/2021 5:55 AM
HM News
4 years ago
Share
SHARE
  • નરસિંહાનંદ સરસ્વતી પોતે પણ હરિદ્વાર ખાતેની ધર્મ સંસદનો હિસ્સો રહ્યા હતા જેમાં ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવ્યા હતા

નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર,શુક્રવાર : ધર્મગુરૂ કાલીચરણ બાદ હવે ગાઝિયાબાદ સ્થિત ડાસના મંદિરના મહંતે મહાત્મા ગાંધીને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.તેમણે મહાત્મા ગાંધીને ‘ગંદકી’ ગણાવ્યા છે.મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતી ગિરીએ હરિદ્વાર ખાતે કહ્યું હતું કે,ધર્મગુરૂ કાલીચરણની ધરપકડ થઈ એ ખોટું થયું છે.

ઉલ્લેખનીય છે કે,થોડા દિવસો પહેલા રાયપુર ખાતે યોજાયેલી એક ધર્મ સંસદમાં ધર્મગુરૂ કાલીચરણે મહાત્મા ગાંધીને લઈ અપશબ્દો કહ્યા હતા.તેમણે મહાત્મા ગાંધીની હત્યા માટે નાથુરામ ગોડસેની પ્રશંસા પણ કરી હતી.ત્યાર બાદ ગુરૂવારે મધ્ય પ્રદેશના છતરપુર ખાતેથી ધર્મગુરૂની ધરપકડ કરવામાં આવી હતી.ધર્મગુરૂની ધરપકડ બાદ છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ સરકાર સામસામે આવી ગઈ હતી.નરસિંહાનંદ સરસ્વતી પોતે પણ હરિદ્વાર ખાતેની ધર્મ સંસદનો હિસ્સો રહ્યા હતા જેમાં ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવ્યા હતા.

ડાસના મંદિરના મહંતે કહ્યું કે,’ગાંધી નામની ગંદકીના કારણે જેણે સ્વામી કાલીચરણ મહારાજની ધરપકડ કરી છે,મા કાલી અને મહાદેવ તેમનો વિનાશ કરશે.તેમણે કાલીચરણના નિવેદન સાથે સંત સમાજને શત પ્રતિશત સહમત ગણાવ્યો હતો.મહંતે કહ્યું કે,સંત સમાજ કાલીચરણ મહારાજની સાથે છે.’તે સિવાય કાલીચરણ મહારાજને જલ્દી જામીન નહીં મળે તો છત્તીસગઢના મુખ્યમંત્રી આવાસ ખાતે જઈને આમરણાંત અનશન કરવાની વાત પણ કરી હતી.

કાલીચરણ મહારાજે શું કહેલું..

કાલીચરણ મહારાજે કહ્યું હતું કે,’ઈસ્લામનું લક્ષ્ય રાજકારણના માધ્યમથી રાષ્ટ્ર પર કબજો જમાવવાનું છે.આપણી આંખોની સામે તેમણે 1947માં કબજો જમાવ્યો હતો.તેમણે પહેલા ઈરાન,ઈરાક અને અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો.તેમણે રાજકારણના માધ્યમથી બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર કબજો જમાવ્યો હતો.હું નાથુરામ ગોડસેને સલામ કરૂં છું કે,તેમણે મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કરી.’આમ કહીને તેમણે ગાંધીને અપશબ્દ પણ કહ્યા હતા.

ગુજરાતમાં ફરી ડબલ એન્જિન સરકાર : CM ભૂપેન્દ્ર પટેલ સહિત 20 કેબિનેટ મંત્રીઓ લેશે શપથ
IPLથી ક્રિકેટ બોર્ડ જ નહીં ખેલાડીઓ પણ માલામાલ, 15 વર્ષમાં ક્રિકેટરોને મળ્યા 2500 કરોડ રૂપિયા
ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમ દોષિત, રણજીત હત્યા કેસમાં CBI કોર્ટનો ચુકાદો
જુઠ્ઠુ બોલવુ, ખોટા આંકડા આપવા એ કેજરીવાલની આદત છે : ભાજપ અધ્યક્ષ
કોંગ્રેસમાં હવે ‘એક પરિવાર, એક ટિકિટ’, પરંતુ ગાંધી પરિવાર અપવાદ
Share This Article
Facebook Email Print
Previous Article જિલ્લા પોલીસનું ફાર્મ હાઉસોમાં સઘન ચેકિંગ : થર્ટી ફર્સ્ટની તૈયારી કરતાં લોકોમાં ફફડાટ
Next Article SPના MLC પુષ્પરાજ જૈનના ઘરે આવકવેરા વિભાગના દરોડા, લોન્ચ કર્યું હતું સમાજવાદી અત્તર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up