નવી દિલ્હી તા. 21 : દેશમાં કોરોના અને વેકસીનેશન સહીતની સ્થિતી પર પ્રશ્નઉઠાવતા 116 જેટલા પુર્વ આઇએએસ અને આઇપીએસ અધીકારીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા ભાજપના અનેક નેતાઓને પત્ર લખીને હવે વાતોનો સમય નહીં પણ કામનો સમય હોવાનું જણાવી દેશને સંકટમાંથી ઉગારવા વિનંતી કરે છે. ‘ઇન્ડિયા નીડ એકશન નાવ’ તેવા ટાઇટલ સાથે લખાયેલો આ પત્ર અનેક વખત રાષ્ટ્રીય મુદા ઉઠાવી ચુકેલા કોન્ટીટયુશ્નલ ક્ધડકટ ગ્રુપ દ્વારા લખાયેલા પત્રમાં એક તરફ એપ્રીલ અને મે માસમાં જે રીતે કોરોનાના કેસ વધતા જતા હતા તે સમયે જાહેર રેલીઓ સહીતના આયોજનને કારણે દેશમાં બીજી લહેર તીવ્ર બની હતી.
આ અધીકારીઓએ જણાવ્યુ છે કે કેન્દ્રની મોદી સરકાર નેરેટીવની વધુ ચીંતા કરે છે અને મહત્વના મુદાઓ પર ધ્યાન આપતી નથી.કોરોનામાં કેસ અને ટેસ્ટના સાચા ડેટા પણ મળતા નથી.હોસ્પીટલમાં કેટલા લોકો છે મૃત્યુ કેટલા પામ્યા છે તે પણ વાસ્તવીકતા બહાર આવતી નથી.તેઓએ કુંભ મેળાનો પણ ઉલ્લેખ કર્યો છે અને તે સુપર સ્પ્રેડર સાબીત થયો છે તેવો આક્ષેપ કર્યો છે.પીએમ કેર ફંડ સામે પણ પ્રશ્ન ઉઠાવ્યા છે અને વેકસીનેશન કાર્યક્રમમાં પણ જે રીતે હાલ દ્વિધાભરી સ્થિતી છે તે પણ તેમના પત્રનો મુદો બન્યો છે.તથા દેશમાં ફેડરલ સિસ્ટમને ઘસારો પહોંચતુ હોવાનું પણ જણાવ્યુ છે.પહેલા અને બીજા તબકકાના કોરોના વચ્ચે આંતરરાષ્ટ્રીય અને સ્થાનીક સ્તરે ચેતવણી છતા સરકારે તેની ચીંતા કરી ન હતી.આ ગ્રુપે દેશમાં તમામને વેકસીન ફ્રી માં આપવા અને સમગ્ર વેકસીનેશન કાર્યક્રમ કેન્દ્ર સરકાર સંભાળે તથા રાજય સરકાર સાથે સહયોગ કરે તેવી પણ માંગણી કરી છે.