– હાલ ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં પોલીસ કર્મચારીનું શોષણ કરાઈ રહ્યું છે: અરવિંદ કેજરીવાલ
– સરકાર આવ્યા બાદ પોલીસ પોલીસકર્મીઓને ગ્રેડ પે સહિતના લાભો આપવામાં આવશે તેવી જાહેરાત કરી
– અરવિંદ કેજરીવાલે દ્વારકાની મુલાકાત દરમિયાન ખેડૂતોને લઈને પણ જાહેરાત કરી હતી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે.અને ગૅરંટી રૂપે એક બાદ એક મહત્વની જાહેરાતો કરી રહ્યા છે.ત્યારે ગઇકાલે દ્વારકાની મુલાકાત દરમિયાન કેજરીવાલે ખેડૂતોને લઈ જાહેરાત કરી હતી.ત્યારબાદ તેઓ ઓચિંતા રાજકોટ આવી પહોંચ્યા હતા.અહીં પોલીસ કર્મચારીઓને સરકારે આપેલા ભથ્થા મામલે સવાલો ઉઠાવતા તેમણે કહ્યું હતું કે, હવે આ સરકાર માત્ર 3 મહિના જ છે.પછી ‘આપ’ની સરકાર આવશે.જેમાં કોઈ શરતો વિના ગ્રેડ-પે લાગુ કરવામાં આવનાર છે.
રાજકોટ એરપોર્ટ પરથી અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાતચીત કરી હતી.જેમાં જણાવ્યું હતું કે, હાલ ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં પોલીસ કર્મચારીનું શોષણ કરાઈ રહ્યું છે.હાલ ભાજપ સરકારમાં પોલીસ કર્મચારીઓથી લઈને આરોગ્ય કર્મચારીઓ સુધી તમામ દુઃખી છે.ગ્રેડ-પેનાં બદલે સરકારે ભથ્થા જાહેર કર્યા હતા.પરંતુ તેમાં પણ અનેક શરતો મુકવામાં આવી છે.અને પોલીસને બંધુઆ મજૂર બનાવવાનો પ્રયાસ થયો છે.સરકાર આ રીતે કોઈ નિયમો લાગુ ન કરી શકે.
રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓને આપેલા ભથ્થામાં શરતો લાગુ કરી છેતરપિંડી કરી છે.ત્યારે મારી દરેક પોલીસ કર્મીઓને વિનંતી છે કે કોઈ શરતોનું પાલન કરવાની જરૂર નથી.હવે ગુજરાત સરકારને માત્ર ત્રણ મહિના રહ્યા છે.સરકારનો ઘમંડ હવે ટૂંક સમયમાં તૂટી જશે.અને અમારી સરકાર આવ્યા બાદ પોલીસ પોલીસકર્મીઓને કોઈપણ શરતો વિના ગ્રેડ પે સહિતના લાભો આપવામાં આવશે.એટલું જ નહીં ગુજરાતનાં તમામ કર્મીઓની યોગ્ય માગણીઓ આમ આદમી પાર્ટીની સરકાર મંજૂર કરશે.