નવી દિલ્હી તા. 26 : દેશમાં ગઇકાલ-શુક્રવારથી આવક વેરાના મામલામાં ફેસલેસ અપીલની વ્યવસ્થા શરૂ થઇ ગઇ છે.હવે અપીલ કરવા અને સુનાવણીમાં સામેલ થવા માટે કરદાતાએ કોઇપણ ઓફિસમાં જવાની કે કોઇ અધિકારી સામે રજુ થવાની જરૂર નહી પડે.ગત મહિને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુરા દેશમાં ફેસલેસ એસેસમેન્ટ લોન્ચ કર્યું હતુ.
આ નવી વ્યવસ્થામાં ટેકસ નકકી કરવામાં પેદા થયેલ વિવાદોની અપીલ ફેસલેસ સંભવ થશે.આ રીતે કેસની સુનાવણી કોઇપણઅધિકારીને રેન્ડમ રીતે એર્લટ કરવામાં આવશે. જેથી અપીલ પર નિર્ણય કરનારની ઓળખ જાહેર નહીં થઇ શકે સાથે સાથે કરદાતાની અધિકારીની ઓફિસમાં જવાની કે હાજર થવાની જરૂરત પણખતમ થઇ જશે. આ નવી સિસ્ટમાં બધા જ કોમ્યુનિકેશન્સ (વ્યવહાર) ઇલેકટ્રોનિક રીતે કરવામાં આવશે.
અપીલનો ફેસલો અને રિવ્યુનું કામ એક અધિકારીના બદલે ટીમ કરશે.જોકે ગંભીર ફ્રોડના કેસકાળુ નાણું,આંતરરાષ્ટ્રીય ટેકસના કેસોને આ સિસ્ટમમાં સામેલ નહીં કરાય.આ ઉપરાંત સંવેદનશીલ ટેકસમાં પણ આ સિસ્ટમમાં અપીલ સંભવ નથી.ટ્રિબ્યુનલ અને હાઇકોર્ટમાં અપીલ ટેકસપેયરના રાજયમાં દાખલ કરાશે.આ ફેસલેસ સમીક્ષાના હેતુ ટેકસના કેસોનો ઝડપી નિકાલનો છે.સરકારનું માનવું છે કે આથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સરળતા રહેશે.આ સુવિધાથી ભ્રષ્ટાચાર અને મનમાની પર રોક લાગશે.