By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હાઇકોર્ટે પીઆઇએલ ફગાવી દેવાનું વલણ દાખવતાં મોબ લીચીંગ સહિતના મુદ્દે થયેલી જાહેરહિતની અરજી પરત ખેંચાઇ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > હાઇકોર્ટે પીઆઇએલ ફગાવી દેવાનું વલણ દાખવતાં મોબ લીચીંગ સહિતના મુદ્દે થયેલી જાહેરહિતની અરજી પરત ખેંચાઇ
AhmedabadGeneral

હાઇકોર્ટે પીઆઇએલ ફગાવી દેવાનું વલણ દાખવતાં મોબ લીચીંગ સહિતના મુદ્દે થયેલી જાહેરહિતની અરજી પરત ખેંચાઇ

HM News
Last updated: 08/07/2022 6:16 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : તા.8 જુલાઈ 2022,શુક્રવાર : ગુજરાત રાજયમાં મોબ લીચીંગ સહિતના વિવિધ મુદ્દાઓ ઉઠાવતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટ અરજી પ્રાથમિક સુનાવણીના તબક્કે જ અરજદારપક્ષને પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી.હાઇકોર્ટે અરજદારપક્ષને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે,તમે પિટિશનમાં જે મુદ્દા ઉઠાવ્યા છે અને રજૂ કર્યા છે તેના અધિકૃત આધાર પુરાવા રજૂ નથી કર્યા, તમારી પીઆઇએલ જનરલ સેન્સમાં રજૂ કરાઇ હોય તેવું પ્રતીત થાય છે.આમ કહી,હાઇકોર્ટે પીઆઇએલ ફગાવી દેવાનું વલણ અપનાવતાં અરજદારને પોતાની જાહેરહિતની રિટ અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી.હાઇકોર્ટે ટકોર કરી કે,પીઆઇએલમાં કોઇ તથ્ય આધારિત અને નક્કર પુરાવાઓ રજૂ કરાયા નથી

અરજદારપક્ષ તરફથી કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબના મુદ્દા ઉઠાવાયા હતા કે,મોબ લીચીંગ,કોમી હિંસા સહિતના સંવેદનશીલ મુદ્દાઓને લઇ સુપ્રીમકોર્ટે મહત્વના આદેશો અને માર્ગદર્શિકાઓ જારી કર્યા છે પરંતુ તેનું ગુજરાત રાજયમાં ચુસ્તપણે પાલન થઇ રહ્યુ નથી.જયારે દેશના બીજા રાજયોમાં સુપ્રીમકોર્ટના આ ચુકાદાઓ અને સંબંધિત માર્ગદર્શિકાઓને લઇ અમલવારી થઇ રહી છે.

કોમી હિંસાના બનાવો વધી રહ્યા છે ત્યારે સરકાર અને તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવાવા જોઇએ પરંતુ આ બાબતમાં જરુરી નિર્ણયો લેવાયા નથી,જેને લઇ સુપ્રીમકોર્ટના ચુકાદાનું પાલન કરવામાં પણ વિલંબ થઇ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.જો કે,હાઇકોર્ટે અરજદારપક્ષને ટકોર કરી કે,તમે જે આક્ષેપો કે રજૂઆત કરી છે તે જનરલ છે,તેના આધાર પુરાવામાં કોઇ તથ્ય આધારિત બાબત રજૂ કરી નથી,તેથી તમારી જાહેરહિતની રિટ અરજી ટકી શકે તેમ નથી.

વકીલોને ગુજરાત સરકાર માસિક આર્થિક સહાય આપે અથવા રાહત દરે લોન આપે : HCના ચીફ જસ્ટિસને પત્ર
ડાંગમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં શિતળતાની લહેર
હાર્દિક પટેલનો કોંગ્રેસ છોડવાનો નિર્ણય ઉતાવળિયો : બહેન રેશ્મા પટેલએ હૈયાવરાળ ઠાલવતાં લખ્યો પત્ર
ગુજરાત-રાજસ્થાન સોનચીડિયા, ખડમોર, માટે બર્ડ ડાઇવર્ટર્સ લગાડે
શું હાર્દિક પટેલ ‘આપ’માં જોડાય તેવી શકયતા
Share This Article
Facebook Email Print
Previous Article જન્મટીપની સજા સામેની અપીલના હીયરીંગ વખતે કેસ વિલંબિત કરવાના સંજીવ ભટ્ટના વલણથી હાઇકોર્ટ નારાજ
Next Article વડોદરા જિ.પં.ના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કસના કેસમાં, ડિગ્રી વેરીફાય કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવા હાઇકોર્ટનો આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up