અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા હાર્દીક પટેલે રાજય બહાર પ્રવાસની આગામી મંજુરી પર રાજય સરકારે વિરોધ કરી હાર્દીક પટેલ અવારનવાર જામીન શરતોના ભંગ કરે છે તેવું જણાવી મંજુરી વગર ગુજરાત નહી છોડવાની જે શરત તેના જામીન મંજુર થયા તે સમયે રાખવામાં આવી હતી તે યથાવત રાખવા રજુઆત કરી હતી.
હાર્દીક તેમની કાર્યકારી પ્રમુખ તરીકેની કામગીરી માટે રાજય બહાર પ્રવાસ જરૂરી હોવાની રજુઆત કરી હતી.અમદાવાદની સેશન્સ કોર્ટે હાર્દીકને રાજય બહાર મંજુરી વગર નહી જવાની શરતે જામીન આપ્યા છે.પરંતુ રાજય સરકારે તેનો વિરોધ કરતા હાર્દીક કેટલી વખત જામીન શરતોના ભંગ કર્યા છે તે રજુઆત કરી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની મંજૂુરી ન આપવા રાજ્ય સરાકરે આજે સેશન્સ કોર્ટમાં સોગંદનામું કર્યું હતું. જેમાં સરકારે રજૂઆત કરી હતી કે હાર્દિક જામીનની શરતોનો વારંવાર ભંગ કરે છે, તેથી જામીનની શરતોમાં ફેરફાર કરવાની અરજી નામંજૂર કરવી જોઇએ. આ અરજી અંગે આવતીકાલે 29મીએ ચુકાદો આપવામાં આવશે.
વર્ષ 2015માં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં પાટીદાર અનામલ રેલી સમયે હાર્દિક પર નોંધાયેલા રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને જામીન આપતા સમયે કોર્ટે શરત રાખી હતી કે તે ટ્રાયલ કોર્ટની પરવાનગી વિના ગુજરાતની હદ છોડી શકશે નહીં. આ શરત રદ કરવા માટે હાર્દિકે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.
અરજીના વિરોધમાં પોલીસ તરફથી સેશન્સ જજ બી.જે. ગણાત્રા સમક્ષ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટની રજૂઆત હતી કે આ કેસમાં સતત ગેરહાજર રહેવા બદલ હાર્દિક સામે ધરપકડ વોરંટ ઇશ્યુ થયું હતું અને ત્યારબાદ કોર્ટમાંથી ફરી જામીન મળ્યા હતા. અન્ય કેસમાં પણ તેની સામે ધરપકડ વોરંટ ઇશ્યુ થયા છે. તેથી જામીનની શરત રદ કરવાની અરજી મંજૂરન કરવી જોઇએ.


