By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હાર્દિક પટેલે કહ્યું- ગોપાલ ઈટાલીયાને કોંગ્રેસમાં આવવું હતું અને…
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હાર્દિક પટેલે કહ્યું- ગોપાલ ઈટાલીયાને કોંગ્રેસમાં આવવું હતું અને…
GeneralGujarat NowPolitics

હાર્દિક પટેલે કહ્યું- ગોપાલ ઈટાલીયાને કોંગ્રેસમાં આવવું હતું અને…

HM News
Last updated: 26/06/2021 2:37 AM
HM News
4 years ago
Share
SHARE

હાર્દિક પટેલને લઇને ફરી એક વખત રાજકારણમાં ગરમાવો આવ્યો છે.હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચા સોશિયલ મીડિયાના માધ્યમથી થઇ રહી હતી.ત્યારે આ વાતને હાર્દિક પટેલે પાયા વિહોણી ગણાવી હતી અને આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી હતી.ત્યારબાદ આમ આદમી પાર્ટીને પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ પણ કોંગ્રેસની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.ત્યારે હાર્દિક પટેલે પ્રદેશ કોંગ્રેસનું નેતૃત્વ કરવાની ઈચ્છાને લઇને એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.

હાર્દિક પટેલે કહ્યું હતું કે, મેં પહેલા પણ કહ્યું છે કે, મારે પ્રદેશ પ્રમુખ પણ નથી બનવું મારે CLP લીડર નથી બનવું.મારે ગુજરાતની જનતાનું કામ કરવું છે,મને ખબર છે કે, પદ વગર પણ કામ કરી શકીશ.મારૂ સ્પષ્ટ માનવું છે કે, આવનારા દિવસોની અંદર ગુજરાતના તમામ ગામડામાં સારું કામ કરીએ અને તેના માટે કોંગ્રેસ પાર્ટી તત્પર છે.

ગોપાલ ઈટાલીયા બાબતે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આ ગોપાલભાઈને કોંગ્રેસમાં આવવું હતું.ગોપાલ ઈટાલીયા કહેતા હતા કે, મારે કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયત લડવી છે.આ જ ગોપાલભાઈને કોંગ્રેસમાં આવવું હતું.પણ કદાચ તેમને હવે નહીં આવવું હોય અને ગમ્યું નહી હોય.એમને કઈ વાંધો પડ્યો હશે એટલે પછી ન આવી શક્યા.બધા જ લોકોને પાર્ટીમાં જોડાવાનો અધિકાર છે.જેને જે પાર્ટીમાં જવું હોઈ તે પાર્ટીમાં જઈ શકે, કોઈને રોકાઈ નહી.અમે ભાજપવાળા થોડા છીએ કે,બધાને રોકીને રાખીએ.સમય આવે ત્યારે બધા નિર્ણય લેતા હોય છે.હું જ્યાં છું ત્યાં ખૂશ છું અને જે દુખી માણસ હોય તે જ ઘર બદલે.હું જ્યાં હોય ત્યાં ખૂશ હોવ તો મારે શા માટે આવા નિર્ણય કરવા પડે કારણ કે,મારામાં લડવાની તાકાત છે અને મારામાં જીગરો છે.

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી બાબતે હાર્દિક પટેલે સુરતમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર જો કોઈ પાર્ટી ભાજપને હરાવી શકે તો તે કોંગ્રેસ પાર્ટી છે.આમ આદમી પાર્ટીને ભાજપ આર્થિક અને સામાજિક રીતે સહયોગ કરી રહ્યું છે.
ગુજરાતની અંદર આવનારા દિવસોમાં કોંગ્રેસ ખૂબ સારું પ્રદર્શન કરશે અને ગુજરાતના સત્તા સ્થાને થશે.

શું ફલોર ટેસ્ટ પહેલાં જ કમલનાથની સરકાર પડી ભાંગશે? આ રહ્યા એંધાણ
ગુજરાતમાં લોકડાઉન અંગે સીએમ રૂપાણીનું નિવેદન, જાણો શું કહ્યું..
મુંબઈ હાઈકોર્ટે IPS ઑફિસર રશ્મિ શુક્લાને ફોન ટેપિંગ કેસમાં આપી રાહત
કોરોનાથી વૈશ્વિક ઇકોનોમીમાં દેખાશે ૬ ફેરફારો
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી, CMએ સતત બીજા વર્ષે પહિંદ વિધિ કરી
Share This Article
Facebook Email Print
Previous Article સુરત : ક્રોસ વોટિંગથી શિક્ષણ સમિતિમાં હવે AAPનો ફક્ત એક જ સભ્ય બેસશે, પરિણામ બાદ ભારે હંગામો, પોલીસ બોલાવવી પડી
Next Article મુંબઈના 10 બાર માલિકોએ દેશમુખને 3 મહિનામાં રૂ.4 કરોડ આપ્યા હતા : ED
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up