By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હાલના મંત્રીમંડળમાંથી 13 સભ્યને પડતાં મૂકાશે, 8 ઉમેરાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > હાલના મંત્રીમંડળમાંથી 13 સભ્યને પડતાં મૂકાશે, 8 ઉમેરાશે
GandhinagarGeneralPolitics

હાલના મંત્રીમંડળમાંથી 13 સભ્યને પડતાં મૂકાશે, 8 ઉમેરાશે

HM News
Last updated: 13/09/2021 8:35 AM
HM News
4 years ago
Share
SHARE

– કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર આવી પ્રદેશ અધ્યક્ષ, નવા મુખ્યમંત્રી અને અન્ય સિનિયરો સાથે ચર્ચા બાદ નવા મંત્રીમંડળની જાહેરાત કરાય તેવી સંભાવના

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૨૨માં યોજાવાની છે. જેને હવે ૧૫ મહિના જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ હાઈકમાન્ડે એકાએક મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીનું રાજીનામું લઈને તેમને વિદાય આપી દીધી છે અને તેમના સ્થાને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે અમદાવાદ ઘાટલોડિયાની બેઠક પરથી પ્રથમવાર જ ૨૦૧૭ની ચૂંટણીમાં સૌથી વધુ ૧.૧૭ લાખ વોટથી વિજયી થયેલા સાવ સરળ,શાંત અને આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતાં ભૂપેન્દ્રભાઈ પટેલની આશ્ચર્યજનક રીતે પસંદગી થઈ છે.તેઓ ૧૩મીના સોમવારે બપોરે ૨.૨૦ વાગ્યે રાજભવન ખાતે મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કરશે.તેમના નવા મંત્રીમંડળની શપથવિધિ ૨ દિવસ બાદ થશે.જેમાં પ્રથમ તબક્કામાં કુલ ૧૮ મંત્રીઓ થપથ ગ્રહણ કરે અને હાલના મંત્રીમંડળમાંથી કેબિનેટ કક્ષના ૬ અને રાજ્યકક્ષાના ૭ મળીને કુલ ૧૩ મંત્રીની બાદબાકી નિશ્ચિત મનાય છે.નવા મંત્રીમંડળમાં કોઈ નાયબ મુખ્યમંત્રી નહીં હોય અને જો આખરી ઘડીએ નિર્ણય બદલાય તો નાયબ મુખ્યમંત્રી તરીકે હાલના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પસંદ કરાશે.

મંત્રીમંડળની પસંદગી મુખ્યમંત્રીનો જ અબાધિત અધિકાર હોય છે પરંતુ એક માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ૧૩મીને સોમવારે ગુજરાત આવે અને તેઓ નવા પસંદ કરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને અન્ય સિનિયર અગ્રણીઓની સાથે બેસીને નવા મંત્રીમંડળની પસંદગી કરે એવી શક્યતા અંકાઈ રહી છે.એવી માહિતી છે કે, વિજય રૂપાણીના મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાના ૧૨ અને રાજ્યકક્ષાના ૧૧ મંત્રીઓ મળીને કુલ ૨૩ મંત્રીઓ હતા પરંતુ હવે નવા મંત્રીમંડળમાં તેમાંથી કેબિનેટ કક્ષાના ૬ અને રાજ્યકક્ષાના ૭ મળીને કુલ ૧૩ મંત્રીઓની બાદબાકી થાય તેવી સંભાવના છે.તેમના સ્થાને ૮ નવા મંત્રી ઉમેરાશે.આમ ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં પ્રથમ તબક્કામાં કુલ ૧૮ મંત્રીઓને સ્થાન અપાશે.

બે દિવસ બાદ આકાર પામનારા નવા મંત્રીમંડળમાં કોને સમાવાશે

1 પંકજ દેસાઈ 2 દુષ્યંત પટેલ 3 આત્મારામ પરમાર 4 રાજેન્દ્રભાઈ ત્રિવેદી 5 હર્ષ સંઘવી 6 મનીષાબેન વકીલ 7 નીમાબંને આચાર્યનો નવા મંત્રી તરીકે સમાવેશ કરાશે એમ મનાઈ રહ્યું છે. જેમાં ઉલ્લેખનીય એ છે કે, પંકજ દેસાઈ વર્ષોથી વિધાનસભામાં સત્તાધારી ભાજપના દંડક તરીકે ફરજ બજાવે છે.જ્યારે રાજેન્દ્રભાઈ ત્રિવેદી પોતે, વિધાનસભાના અધ્યક્ષ છે એટલે એનો સીધો અર્થ એ સમજાય છે કે, જો તેમને નવા મંત્રીમંડળમાં સ્થાન મળશે તો વિધાનસભાના અધ્યક્ષ અને મુખ્ય દંડકના પદે અન્ય ધારાસભ્યોની પસંદગી શક્ય બનશે.મનીષાબેન વકીલ અને નીમાબેન આચાર્ય એમ બે મહિલા સભ્યોને પસંદ કરાય તેની શક્યતા નકારી શકાતી નથી.

કોણ ક્યાં રાજ્યપાલ બની શકે

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ હાલ તો પૂર્વ બની ગયા છે. હાલના સમીકરણો પ્રમાણે નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીનું પદ સંભવત: ન હોય એવુ બની શકે છે.આ સંજોગોમાં રૂપાણી અને નીતિનભાઇ પટેલને રાજ્યપાલ તરીકે નિમણૂક થઇ શકે છે. હાલ ઉત્તરાખંડ અને પૂર્વીય રાજ્યોમાં રાજ્યપાલના પદ ચાર્જમાં ચાલે છે.જોકે, આ નિમણૂકો કેટલા સમયમાં થશે કે ૨૦૨૨ની ચૂંટણીમાં બન્નેના સમય અને શક્તિને ઉપયોગ કરવામાં આવશે એનો નિર્ણય રાષ્ટ્રીય નેતૃત્વ કરશે.એનડીએના શાસનમાં છેલ્લા સાત વર્ષમાં ગુજરાતમાંથી અત્યાર સુધીમાં ત્રણ ભાજપના નેતાઓને રાજ્યપાલ તરીકે નિમણૂકો થઇ છે. રાજકોટથી વજુભાઇ વાળા સૌથી પહેલા કર્ણાટકના રાજ્યપાલ બન્યા હતા અને થોડા મહિના પહેલાં જ નિવૃત્ત થયા છે.આ પછી ૨૦૧૬માં આનંદીબહેન પટેલને મધ્યપ્રદેશ અને પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. બે મહિના પૂર્વે જ મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે.

ત્રણ વર્ષ પછીયે જીએસટી સરલ કે સમાન સંભવ નથી બન્યો!
મહેસાણા પાલિકાનાં કોંગ્રેસના 16 કોર્પોરેટરોને પક્ષાંતરધારાની નોટિસ
મોદી સરકારના સંપૂર્ણ બજેટથી ઘર ખરીદનારાઓને મળશે રાહત !
સુરત : રાજ્યમંત્રીની જન યાત્રામાં લોકોએ કર્યો એવો વિરોધ કે પોલીસને પડી ગયો પરસેવો, જાણો સમગ્ર ઘટના
ECએ વેક્સિન સર્ટિફિકેટ પરથી PM મોદીનો ફોટો દૂર કરવા કેન્દ્રને આપ્યો આદેશ, જાણો કારણ
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતના રાજકારણની સોશિયલ મીડિયામાં ટીખળ : હસીને લોથપોથ થઈ જવાય તેવા રસપ્રદ મેસેજ વહેતા થયા
Next Article મોદી-શાહની જોડીએ પાછો કોર્સ બહારનો મુદ્દો કાઢ્યો ! સોશ્યલ મીડિયામાં યુઝર્સે ઉતારી ફીરકી !!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up