હિંદવા સુરજ ક્ષત્રિય કુળભૂષણ શ્રી મહારાણા પ્રતાપસિંહજીની આજે ૪૮૦ મી જન્મ જયંતિ છે.દેશભરના ક્ષત્રિય બંધુઓ આજે તા. ૯ ના રાત્રે ૯ વાગ્યે ઘરે ઘરે દીપ પ્રાગટય કરી ભાવ વંદના કરે તેવી અપીલ સર્વે ક્ષત્રિય સંગઠનો દ્વારા થઇ છે.જય મેવાડ જય એકલીંગજી નામથી યાદીમાં જણાવાયુ છે કે આજે સંપૂર્ણ ભારતભરમાં મહારાણા પ્રતાપ દીપોત્સવની ઉજવણી કરાશે.ક્ષત્રિય બંધુઓ અને સર્વે હિન્દુ સમાજ પોત પોતાના ઘરે રાત્રે ૯ વાગ્યે દીવડા પ્રગટાવશે.ઘરે ઘરે મહારાણા પ્રતાપની તસ્વીરો સમક્ષ ફલુહાર કરી પૂજન અર્ચન કરાશે.લોકડાઉનને અનુસરીને મહારાણા પ્રતાપની ઉજવણી કરાશે.દરમિયાન રાજકોટમાં દર વર્ષે વિક્રમ સંવત તીથી મુજબ જેઠ સુદ ત્રીજના મહારાણા પ્રતાપની ઉજવણી કરવામાં આવે છે.જે મુજબ આગામી તા. ૨૫-૫-૨૦૨૦ ના પણ મહારાણા પ્રતાપની જન્મ જયંતિ ઉજવવા અને અત્યારે પણ દીપોત્સવ સાથે ઉજવણી કરવા અપીલ કરાઇ છે.