વી દિલ્લીઃ દિલ્લીમાં થયેલા હિન્દુ વિરોધી તોફાનોમાં ૪ર લોકોના મોતની પુષ્ટિ મળી ચૂકી છે. રપ૦ થી વધારે લોકો ઘાયલ થયા છે. આ મુસ્લિમ તોફાનીઓ ભયાવહ હતા અને પૂર્વ નિયોજીત સાજીશની પોલ એક-એક કરીને ખુલી રહી છે. એમણે હિંદુઓને નિશાન બનાવવા માટે પહેલેથી જ તૈયારી કરી રાખી હતી અને આને લઇ ખૂની તોફાનોને અંજામ આપ્યો. અકિલા વિરોધ પ્રદર્શનના નામ પર હિંદુઓના ઘરોને સળગાવ્યા હતા. એમની દુકાનોમાં પણ તોડ ફોડ કરી હતી. અલ્લાહ અકબર અને નારા-એ- તકબીરની સાથે મુસ્લિમ ટોળાએ વિનોદ નામના હિંદુ શખ્સની હત્યા કરેલી. આ રીતે શિવ વિહારની છતો પર પથ્થર અને બોંબ દૂર સુધી ફેંકવા માટે ગીલોલનો ઉપયોગ કરવામાં આવેલ. શિવ વિહારના સ્થાનીકો બતાવે છે કે આ હિંસક તોફાનોને અંજામ આપવા એક કલાક પહેલા અહીંના વર્તમાન આપ ધારાસભ્ય હાજી યુનુસએ હિંદુ વિસ્તારમા઼ શાંતિ માટે માર્ચ કાઢી હતી. હિંદુઓના વિસ્તારોમાં શાંતિ માટે માર્ચ કાઢયા પછી ધારાસભ્ય હાજી યુનુસ નજીક એક મસ્જિદમાં આવે છે ત્યાં મિટીંગ કરેછે અને પછી હિંદુઓ ઉપર ૪૦૦ લિટર પેટ્રોલ સાથે હુમલો કર્યો. આ પછી પૂર્વ ધારાસભ્ય ભીષ્મ શર્માની સ્કૂલને તહસ-નહસ કરી દીધી છે. સ્કૂલનો ૩૦ વર્ષનો રેકોર્ડ બધો રાખ થઇ ચુકયો છે. ડીઆરપી સ્કુલને પણ સળગવી દીધી. જે એક હિંદુની હતી. નજીકમાં મુસ્લિમની સ્કૂલ હતી તેને જરા પણ નુકશાન નથી થયુ. આ ખુની તોફાનોથી હિંદુ એટલા દહેશતમાં છે કે એમનુ કહેવું છે કે આવા માહોલમાં તે ત્યાં રહી શકતા નથી.