સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં રોડ અને હાઇવેના કામો કરતાં મોટા કોન્ટ્રાક્ટરોને ત્યા આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા,જેમાં આરટીઓ સર્કલ પાસે આવેલી કોન્ટ્રાક્ટરોની પેઢીઓ પૈકી વિજાપુરા અને ખાનુસિયા નામની કોન્ટ્રાકટર પેઢીઓને ત્યા આ દરોડા પડ્યા હતા.ત્યારે કેટલાક આ લાઇનના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક પ્રોજેક્ટને લઈને આ પેઢીઓ અને તેના લાગતા વળગતા લોકો સાથે થોડા સમય અગાઉ થોડી નોકજોક થઈ હતી.
આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાઇવેના એક મોટા પ્રોજેક્ટને લઈને બંધ દરવાજે એક મોટી બેઠક થઈ હતી જે બેઠકમાં આ મોટા પ્રોજેક્ટને લઈને ચર્ચાઓ થઈ રહી હતી તે દરમિયાન પ્રોજેક્ટમાં લેતીદેતીની વાતને લઈને થોડી નોકજોક થઈ હતી જે બાદમાં મિટિંગ અધૂરી રહી ને બધા ઊભા થઈ ચાલવા માંડ્યા હતા.ત્યારબાદ 17 ફેબ્રુઆરી 2023 ના રોજ આ મોટો કોન્ટ્રાકટરની પેઢીઓને ત્યા આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ તમામ પેઢીઓ જ્યાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા તે વર્ષે કરોડો રૂપિયાના હાઇવે અને રોડ ના કામ કરે છે અને વિદેશમાં પણ પ્રોજેક્ટ કરી ચૂક્યા છે.હવે આગામી સમયમાં આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કે પછી સમાધાન તે આવનાર સમયમાં જોવું રહ્યું.