By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હિંમતનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં ભડકો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > હિંમતનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં ભડકો
GeneralSaurashtra

હિંમતનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં ભડકો

HM News
Last updated: 28/02/2020 6:32 AM
HM News
5 years ago
Share
SHARE

કોંગ્રેસની નીતિરીતિથી કંટાળીને અંકિતકુમાર પટેલે રાજીનામુ ફગાવ્યું

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની માઠી દશા બેઠી હોય તેમ અનેક વિવાદો વચ્ચે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાંથી સત્તા હાથમાં સરકી  રહી છે ત્યારે હિંમતનગર તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના કાંકણોલ-ર બેઠકના ચૂંટાયેલા સદસ્યએ નારાજગી દર્શાવી રાજીનામુ ધરી દેતા તાલુકા પંચાયતના રાજકારણમાં ફરી અકિલા ભકડો થયો છે  તાજેતરમાં જ કોંગ્રેસના બે સભ્યો પક્ષાંતરધારા હેઠળ ગેરલાયક ઠર્યા હતા બીજી તરફ કોંગ્રેસે તાલુકા પંચાયતના  પ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી તેવા જ સમય તાલુકા પંચાયતની સવગઢ-ર અકીલા બેઠક પરથી ચૂંટાયેલા એક સદસ્યનું આકસ્મિક નિધન થયુ  હતું. આમ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ફરી લઘુમતિમાં આવી ગઇ છે અને કોંગ્રેસનું સંખ્યાબળ ૧૨માં સમેટાયું છે.  આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર તાલુકા પંચાયતમાં થોડાક દિવસ અગાઉ કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે સામાન્ય સભા દરમિયાન જ વિવાદ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના બે  સભ્યોને વિકાસ કમિશ્નરે પક્ષાંતરધારા હેઠળ ગેરલાયક ઠેરવ્યા હતા તેમ છતાં કોંગ્રેસ દ્વારા આ સભ્યોની સહીથી અન્ય સભ્યોને વિશ્વાસમાં લઇ કોંગ્રેસના  વિપક્ષી નેતા હરેશભાઇ પ્રજાપતિએ તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ (ભાજપ) વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જેનો કોઇ નિવેડો મંગળવાર  સુધી આવ્યો નથી. તો બીજી તરફ સોમવારે તાલુકા પંચાયતની સવગઢ-ર બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્ય અતિકુરભાઇ રેવાસીયાનું આકસ્મિક નિધન થતા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું સંખ્યાબળ ૧૩ થયુ હતું. અધુરામાં પુરૂ કોંગ્રેસના કાંકણોલ-ર બેઠક પરથી ચૂંટાયેલ અંકિતકુમાર પુરૂષોત્તમભાઇ પટેલે કોંગ્રેસની કાર્યરીતિથી નારાજ થઇને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલને સદસ્ય પદેથી રાજીનામુ આપતો પત્ર સોંપ્યો છે. જેના લીધે કોંગ્રેસની છાવણીમાં હતાશાનું મોજુ ફરી વળ્યુ છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતું કે, હા મને કોંગ્રેસના સદસ્ય અંકિતકુમાર પટેલે સદસ્ય પદેથી રાજીનામુ આપતો પત્ર સુપ્રત કર્યો છે.

ગુજરાતની શાળાઓ પર પ્રશ્ન કરનાર CM કેજરીવાલને સી.આર.પાટીલે આપ્યો જડબાતોડ જવાબ
કોમી એકતાનુ ઉદાહરણ, હોળીના કારણે મસ્જિદોમાં નમાઝનો સમય બદલાયો
દેશની પ્રથમ સી-પ્લેન સેવાનો મોદીના હસ્તે પ્રારંભ
IPLમાં એન્ટ્રી સાથે જ ચેમ્પિયન બનતું ગુજરાત ટાઈટન્સ
અર્ણવ ગોસ્વામીને સુપ્રિમનો ઝાટકોઃ કેસ ટ્રાન્સફર માટે કરેલ અરજી ફગાવી
Share This Article
Facebook Email Print
Previous Article ગરીબ આદિવાસીઓના હિતોને અન્યાય થતા હવે ગોરધન આણિ મંડળીને ઘેરવા ભીલીસ્તાન ટાઈગર સેના આંદોલનના માર્ગે
Next Article ભર નર્મદા ચોકડીના પાસે દારૂનો કેસ નહિ કરવા માટે લાંચ લેનાર મરીન પો.સ્ટે.નો હે.કો.એસીબીના છટકામાં ભેરવાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up